અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ કાર્ય આજે શરુ થઈ રહ્યું છે. ભૂમિ પુજન અને પછી શિલાન્સાસ બાદ આ કામ જોર શોરથી શરુ થઈ જશે. મંદિર નિર્માણની આ સ્થિતિ સુધી પહોંચવામાં સદીઓ વીતી ગઈ છે. આ સાથે જોડાયેલા આંદોલનના અલગ અલગ રીતે દેશનું આંદોલન બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. એવો જ એક પ્રયાસ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં કર્યો હતો. તેમણે સોમનાથ મંદિરથી અયોધ્યા માટે રથ યાત્રા કાઢી હતી.
અડવાણીએ સોમનાથમાં પુજા કરી અને રામ મંદિરના નિર્માણનો સંકલ્પ કર્યો
આ મંદિર આંદોલનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો
રથ યાત્રા પુરી ન થવા છતાં...
હકિકતમાં અડવાણી તે સમયે ભાજપના અધ્યક્ષ હતા. મંદિર નિર્માણનું આંદોલન તે દિવસોમાં ચરમસીમાએ હતુ. 1989માં વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત સ્થળની પાસે મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યુ હતુ. એવામાં મંદિરના પક્ષમાં જનસમર્થન મેળવવા માટે અને આ મુદ્દે રાજનીતિક સ્થિતિ મજબુત કરવા માટે ભાજપે રથ યાત્રા કાઢવાનો નિર્ણય કર્યો.
આ રથ યાત્રા માટે તે સમયે પાર્ટીના સોથી મોટા નેતા અડવાણીએ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પસંદગી કરી . 25 સપ્ટેમ્બર 1990માં સોમનાથથી આ યાત્રાની શરુઆત કરી. યાત્રા શરુ કરતા પહેલા અડવાણીએ સોમનાથમાં પુજા કરી અને રામ મંદિરના નિર્માણનો સંકલ્પ કર્યો.
સોમનાથ મંદિરના ટ્રસ્ટી જેડી પરમારના હવાલાથી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રથ યાત્રાની શરુઆત મંદિરના વિજય દ્વારાથી કરવામાં આવી હતી. જે નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો હતો. મંદિર નિર્માણના સંકલ્પ સાથે અડવાણીએ યાત્રા શરુ કરી હતી.
30 ઓક્ટોમ્બરે રથ યાત્રાને અયોધ્યા પહોંચાડવાનું લક્ષ્ય હતુ. પરંતુ આ પહેલા 23 ઓક્ટોમ્બરે બિહારના સમસ્તીપુરના તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના આદેશ પર આને રોકી દેવામાં આવી અને અડવાણી, પ્રમોદ મહાજનની ધરપકડ કરવામાં આવી. રથ યાત્રા પુરી ન થવા છતાં આ મંદિર આંદોલનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જો કે ભાજપ આ બાદ ઘણી મજબૂત થઈ ગઈ હતી.