મોબ લિચિંગના વિરોધમાં લઘુમતી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોકબજારથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે માત્ર મક્કાઇ પુલ સુધી મંજૂરી આપી હતી.
સુરતમાં મોબ લિચિંગના વિરોધમાં રેલી દરમિયાન ઘર્ષણ થયું હતું. ચોક બજારથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લઘુમતી સમાજે મોબ લીન્ચિંગના વિરોધમાં આ રેલી યોજી હતી. પોલીસે મક્કાઇ પુલ સુધી આ રેલીને મંજૂરી આપી હતી. છતા આ ટોળું હજુ આગળ વધાવા માંગતું હતું. જેને લઇને પોલીસ અને રેલીના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
ઘર્ષણના પગલે રોષે ભરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી. રેલીમાં ટોળાએ પથ્થર મારો કરતા પોલીસે સ્વ બચાવમાં ટીયરગેસના સેલ છોડ્યા હતા. વિવેકાનંદ સર્કલ પાસે ટોળાએ ચક્કાજામ કર્યુ હતું. જોકે પોલીસ દ્વારા રેલીના આયોજક કોંગ્રેસના કાઉન્સિલર અસલમ સાયકલવાળા, નેતા બાબુ પઠાણ સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.
મુસ્લિમ સમાજે યોજી હતી રેલી
લઘુમતી સમાજ દ્વારા દેશમાં મોબ લિંચિંગના વિરોધમાં રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન માંગ કરવામાં આવી હતી કે, મોબ લિંચિંગની ઘટનાના ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવે.