બ્રેકિંગ ન્યુઝ
ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન પર્વ હિન્દુ ધર્મના મોટા તહેવારો પૈકીનો એક છે. જેની ઉજવણી ધૂમધામથી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઇના કાંડા પર રાખડી એટલે કે રક્ષા બાંધીને તેના દિર્ઘાયુની મંગળ પ્રાર્થના કરે છે. તો આ દિવસને વધુ યાદ બનાવવા માટે ભાઇ પોતાની બહેનમાં કોઇને કોઇ ભેટ આપીને તેણીની રક્ષા કરવાનું વચન આપે છે.
ADVERTISEMENT

નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે
ADVERTISEMENT
રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલાવે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે અને દરિયો ખેડવાની શરૂઆત કરતા હોવાથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે. રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ તહેવાર એક વિશેષ મહત્વ ધરાવે છે.
તહેવાર સાથે જોડાયેલી કથા
ADVERTISEMENT
એવું માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના રાજા ઈંદ્રદેવ રાક્ષસોની સામે પરાજીત થયા હતાં ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી તેઓ તે દુશ્મનોનો સામનો કરી શકે અને જીત પ્રાપ્ત કરી શકે.

ADVERTISEMENT
એક વખત ભગવાન કૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતાં ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહીની ધારોઓ વહેવા લાગ્યું આ જોઈને દ્રૌપદીએ તાત્કાલિક અસરથી પોતાની સાડીનો છેડાને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. જેથી લોહી વહેવાનું બંધ થયું અને બસ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો. આવી અનેક કથાઓ રક્ષાબંધન પર્વ સાથે જોડાયેલી છે.
રાખડી બાંધતી વખતે આ મંત્રનું કરો ઉચ્ચારણ
ADVERTISEMENT
येन बद्धोबलि राजा दानवेन्द्रो महाबल:।
तेन त्वामनुबध्नामि रक्षे मा चल मा चल।।
ADVERTISEMENT
અંકશાસ્ત્ર મુજબ રાખડી બાંધવાનો શુભ સમય
સવારે ૯.૦૯ કલાકે
સવારે ૧૦.૧૦ કલાકે
સવારે ૧૧.૧૧ કલાકે
સવારે ૧૨.૧૨ કલાકે
સવારે ૧૨.૩૯ કલાકે
--------------------------------
રાખડી બાધવાનું શુભ મુહૂર્ત
શુભ ચોધડીયું--- ૬.૧૬ થી ૭.૫૩
ચલ ચોધડીયું--- ૧૧.૧૦ થી ૧૨.૪૮
લાભ ચોધડીયું----૧૨.૪૮ થી ૧૪.૨૬
અમૃત ચોઘડિયું--૧૪.૨૬ થી ૧૬.૦૪
શુભ ચોધડીયું---૧૬.૦૪ થી ૧૯.૧૯
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.