બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / rakesh tikait said he will go only after performing the last rites of agricultural laws will set up galla mandi in parliament

નિવેદન / ટિકૈતના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- જો બળજબરીથી દૂર કરવામાં આવશે તો સંસદને બનાવી દઈશું માર્કેટ

ParthB

Last Updated: 01:13 PM, 31 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

  • રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા  
  • રસ્તો રોકવા માટે મોદી સરકારને દોષી ઠેરવી 
  • કેન્દ્ર સરકાર  પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો

રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા  

કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ આજે ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે ખેડૂતોના દરવાજા બંધ કર્યા છે. અને લોકોના દરવાજા પણ સરકારે બંધ કરી દીધા છે, અમે કોઈ દરવાજા બંધ કર્યા નથી. ગાઝીપુર બોર્ડર પહોંચેલા ટિકૈતે કહ્યુ કે, અહીં દિવાળી મનાવવામાં આવશે, અહીં દીવા પ્રગટાવવામાં આવશે.

રાકેશ ટિકૈતે રસ્તો રોકવા માટે મોદી સરકારને દોષી ઠેરવી 

રાકેશ ટિકૈતે કહ્યું કે, "સરકારે ખેડૂતો અને લોકો માટે દરવાજા બંધ રાખ્યા છે. અમે કોઈ દરવાજો બંધ કર્યો નથી. જો સંયુક્ત મોરચાનો નિર્ણય થશે તો અમે દિલ્હી તરફ જઈશું.આંદોલનના પ્રશ્ન પર રાકેશ ટિકૈતે કહ્યું, " હવે સંસદમાં માર્કેટ લાગશે, સુપ્રીમ કોર્ટ પણ નજીક છે અને સંસદ પણ.અહીંનું બજાર ધીમે-ધીમે બંધ થઈ ગયું છે, તેથી આશા છે કે દિલ્હીમાં ભાવ સારા રહેશે.” તેણે રસ્તો રોકવા માટે ભારત સરકારને દોષી ઠેરવ્યો. ટિકૈતે વધુમાં કહ્યું કે, "સરકારને 26 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો અમે અમારા ટેન્ટ રિપેરિંગ પણ કરાવીશું. હજુ 6 મહિનાની તૈયારી કરીશ, તેમણે કહ્યું કે જ્યાં સુધી કાળો કૃષિ કાયદાઓ રદ્દ કરવામાં નહી આવે ત્યાં સુધી પાછા કેવી રીતે જશે.

કેન્દ્ર સરકાર  પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો 

રાકેશ ટિકૈતે સરકાર પર ગુંડાગીરીનો આરોપ લગાવ્યો હતો. ટિકૈતે કહ્યું, "ઉત્તર પ્રદેશમાં હિંદુ મુસ્લિમ, રાજસ્થાનમાં જાટ બિન-જાટ, મહારાષ્ટ્રમાં મરાઠા બિન-મરાઠા, હરિયાણામાં ચૌટાલા પરિવાર તૂટી ગયો, બિહારમાં લાલુ પરિવાર તૂટી ગયો, ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવનો પરિવાર તૂટી ગયો. જો આરએસએસનો માણસ ક્યાંક પ્રવેશે છે, તો તે પરિવારને તોડી નાખે છે. તેમણે કહ્યું કે અમે ટિકરીમાં લીધેલા નિર્ણય સાથે સહમત છીએ. પણ અહીં અમે રસ્તો ખોલી દીધો છે, અહીં મીટિંગની જરૂર નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ