ગુજરાતમાં 19મી જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ જબરજસ્ત ગરમાયુ છે. સવારથી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાંની વાત ઉડી છે ત્યારે વધુ બે ધારાસભ્યો સંપર્ક વિહોણા થતા કોંગ્રેસની ચિંતા વધી છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
કોંગ્રેસના 3 ધારાસભ્યો થયા સંપર્ક વિહોણા
અગાઉ પણ તુટ્યા છે ધારાસભ્યો
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ બે ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. આણંદના ધારાસભ્ય કાંતી સોઢા અને કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થયા છે. બન્ને ધારાસભ્યો રાજીનામું આપે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. અગાઉ વડોદરાના ધારાસભ્ય અક્ષય પટેલ પણ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે વધુ બે ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસની ચિંતા વધી છે.
કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ આપી શકે છે રાજીનામું
કરજણના ધારાસભ્યએ રાજીનામુ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
.
કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે. અક્ષય પટેલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. ગઈકાલથી અક્ષય પટેલ સંપર્કવિહોણા થયા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા
ગઢડાના MLA પદેથી પ્રવીણ મારુએ રાજીનામું આપ્યુ છે. લીંબડીના MLA પદેથી સોમાભાઈ પટેલ રાજીનામું આપ્યું છે જ્યારે ધારીના MLA પદેથી જે વી કાકડિયા અને અબડાસાના MLA પદેથી રાજીનામું પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામું આપ્યુ છે.
કોણ કોણ છે મેદાનમાં?
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
મતોની ગણતરી અને ગણિત
મતોના ગણિત પ્રમાણે દરેક ઉમેદવારને જીતવા એકડાના 36 મત જોઈએ. ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા માટે કુલ 105 મત જોઇએ અને તેમની પાસે હાલ 103 ધારાસભ્યો હોઇ ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા 5 મત ખૂટે છે.
હાલ કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે અને તેમના બન્ને ઉમેદવારને જીતવા 72 મત જોઇએ અને તેથી તેમના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે પણ ચાર મત ખૂટે છે. પરંતુ અપક્ષના મત તેમને મળે તેમ હોવાથી તેમને માત્ર ત્રણ મતની તૂટ છે. પણ બગડાના બધાં મત તેમને મળી જાય તો કોંગ્રેસના ઉમેદવાર સોલંકીના જીતવાની શક્યતા વધી જાય કારણ કે તેઓને ભાજપના ઉમેદવાર કરતાં એકડાના બે વધુ મત મળે છે.