રાજ્યસભાના સાસંદ શક્તિસિંહ ગોહિલે આજે મળનારા ચોમાસું સત્રને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, કોરોના મામલે સાંસદ સભ્યો અને તેમના પરિવાર માટે અલગ નિયમો અને ખાનગી સ્ટાફ માટે અલગ નિયમો કેમ છે?
શક્તિસિંહ ગોહિલે ચોમાસું સત્રની રાજ્યસભાની બેઠકને લઈને કેટલાક પ્રશાનો ઉઠાવ્યા છે જેમાં રાજ્યસભા દ્વારા સંસદસભ્ય અને તેમના પરિવાર માટે કોવિડનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવાયો હતો જ્યારે અન્ય એટલે કે ડ્રાઈવર સહિતના કર્મચારીઓ માટે એન્ટીએજીન ટેસ્ટ કરાવવા કહ્યું હતુ જેને પગલે શક્તિસિંહે કહ્યું હતુ કે સંસદ સભ્ય અને તેમના પરિવાર માટે RT-PCR અને બીજા માટે એન્ટીએજીન ટેસ્ટ કેમ?
શું કહે છે શક્તિસિહં ગોહિલ?
રાજ્યસભાના નોટિસ બોર્ડમાં સાંસદો અને ખાનગી સ્ટાફ માટેની માહિતી પ્રકાશિત થાય છે. જેમાં સ્ટાફ સામે ભેદભાવ કેમ રાખવો? સંસદસભ્યો માટે આરટી-પીસીઆર પરીક્ષણ પરંતુ પીએસ / ડ્રાઈવર અને ઘરે કામ કરતા લોકોની રેપિડ એન્ટિજેન પરીક્ષા કેમ? ઝડપી એન્ટિજેન પરીક્ષણો વિશ્વસનીય નથી તો પછી આ ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે.
सांसदो एवम निजी स्टाफ के लिये सूचनायें (SoPs) राज्य सभा की नोटिस बोर्ड में प्रकाशित हैं। उससे भेदभाव क्यों ? संसदो के लीए RT-PCR टेस्ट लेकिन PS/ Driver और घर में काम करने वाले लोगों का Rapid Antigen टेस्ट क्यों? Rapid Antigen टेस्ट विश्वास योग्य नहीं हैं। ख़त की प्रतिलिपि 👇 pic.twitter.com/3quiRQJ5tw