ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યને રાજસ્થાનમાં જતા અટકાવાયા છે. રાજસ્થાનના વાઇલ્ડ વિન્ડ રિસોર્ટ પર જતા અટકાવાયા છે. રાજસ્થાનમાં કેસ વધતા બોર્ડર સીલ કરવામાં આવી છે કોંગ્રેસના ઘણા ધારાસભ્ય હાલ રાજસ્થાનના રિસોર્ટમાં જવા નીકળ્યા હતા. પરંતુ તેમને ત્યાં જતા અટકાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યો બચાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યુ છે પરંતુ રાજસ્થાન સરહદ પરથી જ ધારાસભ્યોને પરત આવવું પડ્યુ હતુ
ગુજરાતના ધારાસભ્ય રાજસ્થાનમા જતા અટકાવાયા
રાજસ્થાનના વાઇલ્ડ વિન્ડ રિસોર્ટ પર જતા અટકાવાયા
રાજસ્થાનમાં કેસ વધતા બોર્ડર કરવામાં આવી છે સીલ
ગુજરાતમાંથી કેટલાક ધારાસભ્ય રાજસ્થાન લઇ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. હવે ગુજરાતના ધારાસભ્યને રાજસ્થાન નહી લઇ જવાય. આબુ પાસે કોંગ્રેસના ધારાસભ્યને અટકાવાયા હતા. પોલીસે અટકાવતા ધારાસભ્ય બોર્ડરેથી પરત ફર્યા છે.
ગુજરાતના 20થી વધારે ધારાસભ્ય રાજસ્થાનમાં
હાલમાં ગુજરાતના 20થી વધારે ધારાસભ્ય રાજસ્થાનમાં છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યને ધારીમાં રાખવામાં આવશે. જ્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યને વલસાડમાં રાખવામાં આવશે
અને હવે ગુજરાતમાં રહેલા ધારાસભ્યને ગુજરાતમાં જ રખાશે.
જયપુર લઈજવા તજવીજ હાથ ધરાઈ હતી
રાજ્યસભાની ચૂંટણીને લઈને ધારાસભ્યો તૂટવાના ડરના કારણે 21 MLAને વાઈલ્ડ વિન્ડ રિસોર્ટમાં રખાયા છે. ત્યારે હવે ધારાસભ્યોને જયપુરમાં લઈ જવાય તેવી શક્યતા હતી. સ્થાનિક ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવતા ધારાસભ્યોને અન્ય સ્થળે ખસેડવાના હતા તેમને જયપુર લઈજવા તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ હવે તેમને નહીં લઈ જવાય.
ગઈકાલે નોંધાઈ હતી ફરિયાદ
રાજકોટ બાદ રાજસ્થાનમાં પણ ગુજરાતના કોંગી MLA સામે ફરિયાદ નોંધાઇ છે. 20થી વધુ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનના સિરોહી રિસોર્ટમાં હોવાથી એપેડેમીક એક્ટના ઉલ્લંઘનને લઇને સિરોહી જિલ્લા પ્રમુખ નારાયણ પુરોહિતે આબૂ રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધનિય છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પોતાના MLAને બચાવવાની કવાયત કરી રહ્યું છે. ત્યારે ગુજરાત કોગ્રેસ MLAને જુદા જુદા રિસોર્ટમાં મોકવામાં આવ્યાં છે.
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજ્યસભા ઈલેક્શન પહેલા આપ્યા રાજીનામાં
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી