બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં બંને ઉમેદવારો ભરશે ફોર્મ
ભાજપ ખેલશે 3 બેઠકનો દાવ
કોંગ્રેસના ઉમેદાવાર
આજે કોંગ્રેસના ઉમેદવાર રાજ્યસભા માટે ભરશે ફોર્મ. શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી ફોર્મ ભરશે. કોંગ્રેસે ગઈકાલે ધારાસભ્યોના વિરોધ બાદ શક્તિસિંહ અને ભરતસિંહને ટિકિટ આપી છે. આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં બંને ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે.
ભાજપના ઉમેદવારો
ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે રાજકોટના જાણીતા વકીલ અને નેતા નીતિન ભારદ્વાજના ભાઈ અભય ભારદ્વાજ અને સાબરંકાઠાના રમીલા બારાની પસંદગી કરી હતી. જોકે, આ ચૂંટણીના સૌથી રસપ્રદ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે ભાજપે ત્રીજી બેઠક પર પણ દાવ ખેલવાનું નક્કી કર્યુ છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભરતસિંહ સોલંકીની જીદ સામે ઝૂક્યું હાઈકમાન્ડ
રાજીવ શુક્લાના નામ સામે નારાજગી વ્યક્ત કરતા ભરતસિંહનું નામ જાહેર કરાયું હતુ. 30 જેટલા ધારાસભ્યએ રાજીનામાની ધમકી આપતા ભરતસિંહના નામ પર મહોર મારવામાં આવી હતી.
પહેલા શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુકલાને ઉમેદવાર તરીકે નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને કોંગ્રેસમાં બળવો થવાની સંભાવના ઉઠી હતી જેને પવલે રાજીવ શુકલાને બદલે ભરત સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવા પડ્યા હતા આ માટે રાજીવ શુકલાએ ટ્વીટ કરી હતી કે પોતાને ઉમેદવારી માટે ઇચ્છા નથી.
ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે
રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકો માટે માર્ચમાં ચૂંટણી યોજાશે. આગામી 26 માર્ચે રાજ્યસભાની 4 બેઠકો માટે મતદાન યોજાશે. ત્યારબાદ 26મી માર્ચે જ મતગણતરી કરવામાં આવશે. આ વર્ષે ભાજપનાં 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પુરી થઇ રહી છે.