આઇએનએસ ખંડેરીને સત્તાવારરીતે નૌસેનામાં સામેલ કરાયા બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ પાકિસ્તાન અને ત્યાંના પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર આકરા પ્રહાર કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આખી દુનિયાના દરવાજા ખટખટાવીને પોતાની મજાક ઉડાવવાનો મોકો નથી છોડી રહ્યા.
પાકિસ્તાન ખુદ પોતાની મજાક ઉડાવી રહ્યું છેઃ રાજનાથ
કલમ 370 ખતમ કરવી પ્રગતિશીલ નિર્ણયઃ રાજનાથ
મુંબઇ જેવા 26/11 જેવા હુમલાની શક્યતાઃ રાજનાથ
ભારતના સ્કૉર્પીંન વર્ગની બીજી પનડુબ્બી આઇએનએસ ખંડેરીને નૌસેનામાં સામેલ કરાયા બાદ રક્ષા મંત્રીએ મંઝગામ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડમાં કહ્યું કે કેટલીક એવી તાકાતો જે ભારતના દરિયાકિનારે મુંબઇ જેવા હુમલા ફરી કરવા માંગે છે પરંતુ અમે એવું નહીં થવા દઇએ.
તેમણે કહ્યું કે, પાકિસ્તાનને એ સમજવાની જરૂર છે કે ભારતીય નૌસેના આઇએનએસ ખંડેરીના સામેલ થયા પહેલાથી જ મજબૂત થયું છે અને સરકાર સશસ્ત્ર દળોને મજબૂત અને આધુનિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ક્ષેત્રમાં શાંતિ ડહોળનારાઓ વિરૂદ્ધ નૌસેના કડક કાર્યવાહી કરશે. અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં આયોજિત હાઉડી મોદી પર રક્ષા મંત્રીએ કહ્યું આ કાર્યક્રમને વિશ્વ શક્તિ રૂપમાં ઉભરતા ભારતને દેખાડ્યું. તેમણે કહ્યું કે અમે જોયું કે કેવી રીતે પ્રધાનમંત્રીનું સ્વાગત અમેરિકાના મોટા નેતાઓએ ખચોખચ ભરેલ સ્ડેડિયમમાં કર્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપણી સરકારની ક્ષમતાને માની.
તેમણે કહ્યું કે, પાકિસ્તાને એ સમજવું જોઇએ કે અમે આજે પોતાની સરકારના મજબૂત ઇરાદાઓ અને નૌસેનામાં આઇએએશ ખંડેરીને લઇને પોતાની મજબૂત ક્ષમતાની સાથે મોટા ઝટકા આપવામાં સક્ષમ છીએ.
INS ખંડેરીની ખાસિયત
આ સબમરીન સમુદ્રમાં એક-બે દિવસ નહીં પરંતુ 40થી 45 દિવસ અને 12 હજાર કિલોમીટર સુધી લગભગ 350 મીટરની ઊંડાઇમાં જઇને રહી શકે છે. ભારતની આ સબમરીન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાથી દુશ્મન દેશની સરખામણીમાં ભારતની તાકાત ઘણી વધી ગઇ છે. INS ખંડેરી સમુદ્રની અંદર 20 સમુદ્રી માઇલ ચાલવા સક્ષમ છે. INS ખંડેરીમાં 750 કિલો વજનની 360 બેટરી અને 1250 કિલોવોટના બે ડિઝલ એન્જિન પણ છે.