રાજકોટમાં કોરોના મહામારી વચ્ચે રેમડેસિવિરના ઈન્જેક્શનની અછતમાં જિલ્લા કલેક્ટરે લીધો નવો નિર્ણય, હોમ આઇસોલેટ દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનની સુવિધા પૂરી પડાશે
રેમડેસિવિરને લઇને જિલ્લા કલેક્ટરનો નિર્ણય
હોમ આઇસોલેટ દર્દીઓને પણ મળશે
આધારકાર્ડ, રિપોર્ટ અને પ્રિસ્કિપ્શન માન્ય રહેશે
રાજકોટમાં રેમડેસિવિર ઈન્જેકશનને લઇ જિલ્લા કલેક્ટરે નવો નિર્ણય કર્યો છે. હોમ આઇસોલેટ દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનની સુવિધા પૂરી પડાશે. દર્દીનું આધારકાર્ડ, રિપોર્ટ અને ડોકટરનું પ્રિસ્કિપ્શન રજૂ કરવાનું રહેશે. ડૉક્યુમેન્ટ હેલ્પલાઇન નંબર પર મોકલવાના રહેશે. જે બાદ રેમડેસિવિર ઇન્જેક્શન ડોક્ટર અથવા તેમના પ્રતિનિધિને જ અપાશે.
રાજકોટમાં હોસ્પિટલોમાં બેડ ફુલ થવાની તૈયારી
રાજકોટમાં કુલ 3044 બેડમાંથી 186 બેડ જ ખાલી
રાજકોટ સિવિલમાં 808 બેડમાંથી માત્ર 51 બેડ ખાલી
સમરસમાં 516 બેડમાંથી 44 બેડ જ ખાલી
ESISમાં 41 બેડમાંથી 41 બેડ ખાલી
ગોંડલ હોસ્પિટલમાં 82 બેડમાંથી 7 બેડ ખાલી
જસદણ હોસ્પિટલમાં 27 બેડમાંથી 3 બેડ ખાલી
ધોરાજી હોસ્પિટલમાં 70 બેડમાંથી 1 બેડ જ ખાલી
કેન્સર હોસ્પિટલમાં 197 બેડમાંથી 31 બેડ ખાલી
ખાનગી હોસ્પિટલમાં 1303 બેડમાંથી માત્ર 8 બેડ ખાલી
રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી
રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારી મામલે કલેક્ટર તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ કરાયું હતું. જેમાં શ્રેયસ અને જલારામ હોસ્પિટલમાં રેમડેસિવિરના રજીસ્ટર મળ્યા ન હતા. બન્ને હોસ્પિટલને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નોટિસ ફટકારશે. ગઈકાલે રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં 800 ઇન્જેક્શન અપાયા હતા.
બાળકોમાં કોરોના સંક્રમણ
રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રાજકોટમાં 3 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત થયું છે. છેલ્લા 1 માસમાં 1000થી વધુ બાળકો સંક્રમિત થયા છે. રાજકોટ જિલ્લામાં રોજ 70 બાળકોને કોરોના સંક્રમણ થાય છે. 1000 બાળ દર્દીઓમાંથી 50% બાળકો 2 વર્ષથી નાના છે. તબીબો દ્વારા માતા-પિતાઓને અનુરોધ કરાઈ રહ્યો છે. જો માતા-પિતા સંક્રમિત થાય તો બાળકોને કોઇના ઘરે ન મોકલો તેવું તારણ તબીબો આપી રહ્યા છે.
બેડની અછત વચ્ચે નવા સેન્ટર ઉભા કરાશે
કોરોના કહેર વચ્ચે રાજકોટથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ખાનગી હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. શહેરની 35 ખાનગી હોસ્પિટલમાં 1 હજાર 303 બેડ સંપૂર્ણ પણે ભરાય ગયા છે. સમરસ હોસ્ટેલ ખાતે વધુ 60 બેડનો વધારો કરવામાં આવશે. બેડ વધારવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી રાજકોટમાં કોરોના માટે 2 નવી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.