રાજકોટમાં બાળમજૂરી કરતા બાળકોને સમાજ સુરક્ષા ખાતા દ્વારા મુક્ત કરાવ્યા છે. આશરે 25 બાળ મજૂરોને પોલીસ અને સમાજ સુરક્ષાના અધિકારીઓએ મુકત કરાવ્યા છે. મુક્ત કરાયેલા બાળ મજૂરો મોટા ભાગના પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ બાળકોને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ મોકલાયા છે.
ઉલ્લેખનીય છે કે દેશભરમાં બાળમજૂરી પર પ્રતિબંધ હોવા છતા ઘણા સ્થળો પર નાના ભૂલકાંઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે. પૈસા મેળવવાની લાલચમાં આવા બાળકોને પર પ્રાંતમાંથી પણ લાવવામાં આવતા હોય છે ત્યારે આવી ગેરકાયદેસર પ્રવુત્તિ કરતા લોકો સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.
આપને જણાવી દઇએ કે હાલ આ બાળમજૂરોને રાજકોટના સમાજ સુરક્ષા ખાતાના બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડી ત્યારબાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરી તેમને સોંપવામાં આવશે.