રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાન સળગવા મામલે હવે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. સૌરાષ્ટ્ર વેર હાઉસના મેનેજર મગન ઝાલાવાડિયા સહિત પોલીસે 8 શખ્સો વિરૂદ્ધ સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા મામલે ફરિયાદ નોંધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત થતી વિગતોનુસાર આશરે પાંચ મહિના પહેલા મગફળીના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં આશરે 17 કરોડ રૂપિયાન બારદાન બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે બચેલા બારદાનને રૂ.15.80 લાખમાં વેચવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટ પી ડિવિઝન પોલીસે ગુજકોટના સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવાડીયા ગુજકોટના મેનેજર મનોજ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.
મનસુખ લિંબાસીયા વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરી પોલીસે હવે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત સરકારે શનિવારે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક ન્યાયિક તપાસ પંચની જાહેરાત કરી છે. અને તમામ મગફળી કાંડની કડકાઇ પૂર્વક તપાસ થશે અને દોષીઓને સજા થવાનું પણ મકકમ વલણ દર્શાવ્યું હતું