પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે 21 દિવસના દેશભરમાં લોકડાઉનની કરેલી જાહેરાત બાદ ગુજરાતમાં પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે. તેમ છતાં અનેક જગ્યાએ લોકો હજુ પણ લોકડાઉનની અવગણના કરી બહાર નીકળી રહ્યાં છે ત્યારે પોલીસ દ્વારા તેઓએ આપેલુ કારણ યોગ્ય ન જણાતાં ઉઠકબેઠક કરાવી રહ્યાં છે.
રાજકોટમાં લોકડાઉનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અવર-જવર કરતા તમામ લોકોને કારણ પૂછવામાં આવી રહ્યું છે
જો કારણ યોગ્ય ન હોય તો ઉઠકબેઠક કરવામાં આવી રહી છે
પ્રાપ્ત મળતી વિગત અનુસાર દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનના હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. જેમાં રાજકોટ શહેરમાં લોકડાઉનના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.
શહેરના કેકેવી હોલ સર્કલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. જેને લઇને અવર-જવર કરતાં તમામ લોકોને બહાર આવવા અંગેનું પોલીસ દ્વારા કારણ પુછવામાં આવ્યું રહ્યું છે.
તેમ છતાં રાજકોટમાં પોલીસ દ્વારા જો કારણ યોગ્ય ન હોય તો બહાર નીકળેલા લોકોને ઉઠક-બેઠક કરવામાં આવી રહી છે. આમ લોકડાઉનને લઇને પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.