સતત વધતી જતી વસતિ અને જટિલ થતી જતી સમાજવ્યવસ્થાએ આજે અનેક પડકાર સર્જ્યા છે. જો કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસતંત્ર અને ન્યાયાલયો સતત જાગૃત છે. પરંતુ બદલાતા જતા વેપાર ધંધાના સ્વરૂપો અને જટિલ થતાં જતાં સામાજિક પ્રવાહો સામે કામ પાર પાડવા કાયદા અને ન્યાય વ્યવસ્થાનો વ્યાપ પણ જરૂરી બન્યો છે. ત્યારે હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજકોટમાં હાઈકોર્ટની અલગબેન્ચ સ્થાપવા માગ કરાઈ છે.
સૌરાષ્ટ્રમાંથી ઊઠી ડિવિઝન બેંચની માગ
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સ્થાપવા માગ
રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સે કરી માગણી
સતત વધી રહેવી વસતિ સાથે વ્યવસાય-ધંધાના સ્વરૂપો પણ બદલાઈ રહ્યા છે. પહેલા કરતાં આજે લોકો પોતાના હિતના સંરક્ષણ માટે વધારે જાગૃત બન્યા છે. આજના નાગરિકો પોતાના વ્યાવસાયિક અને સામાજિક હકો માટે સરકાર અને સંસ્થાઓ સામે પણ બાંયો ચડાવતા ખચકાતા નથી. સાથે સાથે સરકારી નિયમોમાં સતત થઈ રહેલા પરિવર્તનોએ સમાજવ્યવસ્થામાં એવી જટિલતા સર્જી દીધી છે કે નાગરિકો પોતાના હક માટે ન્યાયાલયોના દરવાજા ખખડાવતા થયા છે.
હાઈકોર્ટ પર ભર પેન્ડિંગ કેસોનું ભારણમાં થયો
આ માહોલમાં છેક હાઈકોર્ટ સુધી પહોંચતા કેસોની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે. જેના કારણે રાજ્યની હાઈકોર્ટ પર ભર પેન્ડિંગ કેસોનું ભારણ પણ વધી રહ્યું છે. આથી ક્ષેત્રફળ અને વસતિની દ્રષ્ટીએ ગુજરાત જેવા મોટા રાજ્યમાં હાઈકોર્ટની અલગ ડિવિઝન બેંચની માગ ઊઠી છે અને આ માગણી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રમાંથી એકાએક ઉઠી માગ
સૌરાષ્ટ્રમાંથી કંઈ એકાએક આ માગ ઊઠી નથી. રાજકોટમાં હાઈકોર્ટની કાયમી ડિવિઝન બેન્ચની સ્થાપના કરવા માટે સૌરાષ્ટ્ર અને કચ્છપ્રાંતની માગણી ઘણી જૂની છે. કેમકે, ભૂતકાળમાં આઝાદીબાદ સૌરાષ્ટ્ર હાઈકોર્ટ અસ્તિત્વમાં આવી હતી. પરંતુ 1956માં સૌરાષ્ટ્ર દ્વીભાષી બૃહદ મુંબઈમાં ભળી જતાં સૌરાષ્ટ્ર હાઈકોર્ટમો અધિકાર છીનવાઈ ગયો.
સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકનો સાડી ત્રણસો કિલોમીટરનું અંતર કાપી આવવું પડે છે અમદાવાદ
જો કે તે પછી બોમ્બે હાઈકોર્ટ બેન્ચ મહિનામાં 15 દિવસ માટે રાજકોટ આવતી હતી. આ પ્રથા 30 એપ્રિલ, ઓગણીસો સાંઈઠ સુધી ચાલી હતી. 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં રાજકોટે બોમ્બે હાઈકોર્ટની બેંચ પણ ગુમાવી. ત્યાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના નાગરિકોને હાઈકોર્ટની સેવા માટે સાડી ત્રણસો કિલોમીટર જેટલું અંતર કાપીને છે કે અમદાવાદ સુધી આવવું પડે છે.
આપને જણાવી દઈએ કે, હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50 હજારથી વધુ કેસો પેન્ડિંગ છે. પરિણામે ન્યાયવાંછું ઓને ન્યાય મળવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર- કચ્છ માટે રાજકોટ ખાતે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સ્થાપવાની માંગ ઊભી થઈ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતશાહ, કાયદા મંત્રી રવિશંકરપ્રસાદ, રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યના ચીફ જસ્ટીસ વિક્રમનાથ સમક્ષ હાઈકોર્ટની અલગ ડિવિઝન બેંચ માટે લેખિત માગણી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના નાગરિકોનો બચી જશે સમય
જો આ માગણી સંતોષાય તો ગુજરાત હાઈકોર્ટની એક માત્ર અમદાવાદ મુખ્ય બેંચ પર કેસનું ભારણ ઘટી જશે અને ડિવિઝન બેંચમાં પણ કેસ ચાલતાં કેસોનો ઝડપી નિકાલ આવી શકશે. રાજકોટ ડિવિઝન બેન્ચની સ્થાપનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના ન્યાય વાંચ્છુંઓને ઝડપી ન્યાય મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છથી લાંબુ અંતર કાપીને આવતા પક્ષકારોનો ટ્રાવેલિંગ સમય બચી જશે. સૌરાષ્ટ્ર કચ્છના અનેક નાગરિકો પર પરંતુ આર્થિક ભારણ ઘટી જશે. આ માટે રાજકોટમાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચની સ્થાપના થાય તે સરકાર અને નાગરિકોના ફાયદામાં છે.
જો કે આ માગણી કોઈ નવતર માગણી નથી. દેશમાં અનેક રાજ્યને હાઈકોર્ટની મુખ્ય બેંચ ઉપરાંત એક કરતાં વધારે ડિવિઝન બેંચો પણ છે. આવા રાજ્યો પર એક નજર કરીએ તો મેઘાલય હાઈકોર્ટની મુખ્ય બેંચ શિલોંગમાં છે. મેઘાલય હાઈકોર્ટને ઓરંગાબાદ, નાગપુર અને પણજી ડિવિઝન બેંચ મળેલી છે. તો ઝારખંડ હાઈકોર્ટની મુખ્ય બેંચ રાંચીમાં છે. ઝારખંડ હાઈકોર્ટની ધારવાડ અને ગુલબર્ગામાં ડિવિજન બેંચ છે.
કેરલ હાઈકોર્ટની મુખ્ય બેંચ કોચ્ચિમાં છે જ્યારે તેની એક ડિવિઝન બેંચ પોર્ટબ્લેયરમાં પણ છે. ગુવાહાટી હાઈકોર્ટની મુખ્ય બેચ ગવાહાટીમાં છે. જ્યારે તેને ત્રણ ડિવિઝન બેંચ ઈટાનગર, કોહિમા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ મુખ્ય બેંચ ચંડીગઢમાં છે જ્યારે તેની ડિવિજન બેંચ જયપુરમાં છે. તો ઉત્તરપ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટ મુખ્ય બેંચ છે. જ્યારે લખનઉમાં તેની ડિવિઝન બેંચ છે. કોલકાતા હાઈકોર્ટની વાત કરીએ તો તેની મુખ્ય બેંચ કોલકાતામાં જ છે તેની ડિવિઝન બેંચ ગ્વાલિયર અને ઈંદોરમાં છે. તો ચેન્નઈ હાઈકોર્ટ મુખ્ય બેંચ ચેન્નઈમાં છે જ્યારે તેની ડિવિઝન બેંચ મદુરાઈમાં છે. આ રીત ગુજરાત હાઈકોર્ટને પણ જો રાજકોટ ડિવિઝન બેંચ મળે તો રાજ્યના નાગરિકોને ન્યાયિક ક્ષેત્રે ઘણો લાભ થઈ શકે તેમ છે.