રાજ્યસભાની ચૂંટણીમાં BTPના ધારાસભ્યના મતને લઈને બન્ને પક્ષ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે NCPના કાંધલ જાડેજાને ધારાસભ્યને વ્હીપ આપ્યો છે..BTPના ધારાસભ્યોને કોંગ્રેસને મત આપવાનો વ્હીપ અપાયો છે. મહત્વનું છે કે, કાંધલ જાડેજા ભાજપને મત આપવનું નક્કી કરૂ ચૂક્યા છે. ત્યારે હને કાંધલ જાડેજા કોને મત આપે તે ચૂંટણીમાં જોવાનું રહેશે.
ભાજપને મત આપવાનું નક્કી કરી ચૂક્યા છે કાંધલ જાડેજા
કાંધલ પાર્ટી લાઈન તરફ જશે કે ભાજપ તરફ તેના પર નજર
કાંધલ કોંગ્રેસને મત આપશે તેવો જયંત બોસ્કીનો દાવો
પ્રદેશ પ્રમુખે વ્હીપ કર્યો જાહેર
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. NCPના ધારાસભ્ય માટે પ્રદેશ પ્રમુખે વ્હીપ જાહેર કર્યું છે અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાનું ફરમાન કર્યું છે. ગુજરાતમાં માત્ર એક કાંધલ જાડેજા જ NCPના ધારસભ્ય છે. અને તેઓ ભાજપને મત આપવાની જાહેરાત કરી ચુક્યા છે. એવામાં NCPના ફરમાનથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. હવે ચૂંટણી પહેલાં જ પક્ષ અને ધારાસભ્ય આમને સામને આવે તેવી શક્યતા છે. હવે તમામની નજર 19 તારીખ પર છે કે, કાંધલ જાડેજા વ્હીપનું આદર કરે છે કે અનાદર
કાંધલ અને CM રૂપાણી વચ્ચે 17મી માર્ચે થઈ હતી બેઠક
રાજ્યસભાની ચૂંટણીમાં NCPનો મત ભાજપને મળવાનો નક્કી છે. કાંધલ જાડેજાએ CM રૂપાણીને મળીને વચન આપ્યું હતું. કાંધલ જાડેજા પોરબંદરના કુતિયાણાથી NCPના સિમ્બોલ પરથી ચૂંટાયા છે. કાંધલ જાડેજા અને .
કાંધલ જાડેજાએ ખુદ કરી હતી કબૂલાત
બેઠક પછી ખૂદ કાંધલ જાડેજાએ માધ્યમોને કહ્યું હતું કે હું ભાજપને મત આપવાનો છું. હું મારો મત ભાજપને આપવાનું મુખ્યમંત્રીને વચન આપીને આવ્યો છું.
19મી જૂને ગુજરાતમાં 4 બેઠકો માટે રાજ્યભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજકારણમાં મહાસંગ્રામ ચાલી રહ્યો છે.