પુલવામામાં આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોષ જોવા મળી રહ્યો છે. સરહદની એ લડાઇની અસર ક્રિકેટના મેદાન પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. મોહાલી ક્રિકેટ સ્ટેડિયમથી રવિવારે પાકિસ્તાન ખેલાડીઓની તસ્વીરો હટાવ્યા બાદ હવે બીજા એક સ્ટેડિયમમાં પણ આવું જ થયું છે.
સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમમાં મોજૂદ પાક ખેલાડીઓની તમામ તસ્વીરોને ઊતારી ફેંકી. જણાવી દઇએ કે દેશમાં આતંકી હુમલા બાદ ગુસ્સાથી ભરેલા લોકોનો આક્રોષ જોતા સ્ટેડિયમના પ્રબંધકોએ આ નિર્ણય લીધો છે.
Jaipur: Rajasthan Cricket Association (RCA) removes photos of Pakistani cricketers from Sawai Mansingh Stadium’s picture gallery. (16.02.2019) pic.twitter.com/OIrZlhacUD
આ પહેલા પંજાબ ક્રિકેટ સંઘે પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાના શહીદોના પરિવારોની સાથે એકજૂથ દેખાડીને મોહાલી ક્રિકેટ સ્ટેડિયમની અંદર વિવિધ જગ્યાઓ પર લાગેલી પાકિસ્તાની ક્રિકેટર્સની તસ્વીરોને રવિવારે હટાવી દીધી હતી.
તસ્વીરો હટાવવા પર પીસીએના કોષાધ્યક્ષ અજય ત્યાગીએ જણાવ્યું હતું કે આ નિર્ણય સંઘના પદાધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો. ત્યાગીએ કહ્યું 'એક વિનમ્ર પગલા હેઠળ પીસીએએ પુલવામા હુમલાના શહીદોની સાથે એકજૂથ દેખાડવાનો નિર્ણય કર્યો.' એમને કહ્યું હતું કે મોહાલી સ્ટેડિયમમાં વિભિન્ન જગ્યાઓ પર પાકિસ્તાન ક્રિકેટરોના લગભગ 15 ફોટા લાગેલા હતા. બંને દેશોની વચ્ચે આ મેદાનમાં છેલ્લી હરીફાઇ 2011 વિશ્વ કપ દરમિયાન રમાઇ હતી. આ સેમિફાઇનલ મેચમાં ભારતે શાહીદ અફરીદીની આગેવાની વાળા પાકિસ્તાનને 29 રનથી હરાવ્યું હતું.