મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અનેક મોટા પગલા ભરવાના નિર્દેશ કર્યા
14 એપ્રિલથી પ્રદેશના 8 જિલ્લામાં સંપર્ણ લોકડાઉનની જાહેરાત
લોકડાઉનના સમાચારની સાથે બજારમાં બ્લેક અને નફાખોરી વધવાની ફરિયાદો સામે આવી
આ રાજ્યોમાં આ દિવસો સુધી લોકડાઉન
રવિવારે આમાં બિલાસપુરમાં 14એપ્રિલથી 21 એપ્રિલ સુધી, સરગુજામાં 13 એપ્રિલથી 23 એપ્રિલ સુધી, બલરામપુરમાં 14 એપ્રિલ સાંજના 6 વાગ્યાથી 25 એપ્રિલ સુધી, મુંગેલીમાં 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી, જાંજગીર ચાંપામાં 13 એપ્રિલ સાંજે 6 વાગ્યાથી 23 એપ્રિલ સુધી જિલ્લામાં લોકડાઉનની જાહેરાત થઈ છે. આ વિસ્તારોમાં અનેક પ્રકારની એક્ટિવિટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખીય છે કે રવિવારે 10, 521 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ અહીં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 443297 થઈ ગઈ છે. ત્યારે 122 અને દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 4899 થઈ ગઈ.
આ પહેલા ભૂપેશ બઘેલ સરકારે અહીં કર્યુ છે લોકડાઉન
આ પહેલા ભૂપેશ બઘેલ સરકારે રાયપુર, દુર્ગ, ઘમતરી, બાલોદ, કોરિયા, બેમેતરા, રાજનાદગામ, જશપુર, બલૌદાબાજારમાં લોકડાઉન જાહેર કર્યુ હતુ જે ચાલુ છે. ત્યારે કોરબામાં 12 એટલે કે આજથી પૂર્ણ લોકડાઉન લાગશે. આ દરમિયાન ફક્ત ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. આ દરમિયાન તમામ જિલ્લાની સીમાઓ સીલ રહેશે. રાજ્યમાં તમામ 90 , 277 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં 348 121 દર્દી સાજા થયા છે.
ઘમતરીમાં લાગ્યુ લોકડાઉન
કોરોનાની ચેનને તોડાવા માટે પહેલા જ અનેક જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવું નામ ઘમતરીની સાથે જોડાયેલુ છે. જ્યાં આજથી 15 દિવસ માટે લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અનેક મોટા પગલા ભરવાના નિર્દેશ કર્યા છે. છત્તીસગઢમાં ઘમતરી જિલ્લામાં આજથી 15 દિવસનું લોકડાઉન રહેશે. આ દરમિયાન સવારે 8થી 10 વાગ્યા સુધી જરુરી સામાની દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે બપોરે 11થી 3 વાગ્યા સુધી બેંકો ખોલવાનું ફરમાન જારી કરવામાં આવ્યું છે.
લોકડાઉનના સાઈડ ઈફેક્ટ
આ દરમિયાન ઘમતરીમાં લોકડાઉનના સમાચારની સાથે બજારમાં બ્લેક અને નફાખોરી વધવાની ફરિયાદો સામે આવી છે. આને લઈને જિલ્લા પ્રશાસને કડક પગલા ભર્યા છે અને દુકાનો પર પગલા ભરતા દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીમાં અલગ અલગ દુકાનદારોને 12 હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં કોરોના સંક્રમણના મામલા સતત આવી રહ્યા છે. તેને જોતા સરકારે પહેલા જ 4 જિલ્લામાં લોકડાઉન લગાવ્યુ છે. રાયપુર સહિત પ્રદેશના 4 જિલ્લામાં હજું લોકડાઉન છે. સંક્રમણને રોકવા માટે રવિવારે 3 જિલ્લામાં લોકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. સરકારના આદેશો હેઠળ આગામી 14 એપ્રિલથી પ્રદેશના 8 જિલ્લામાં સંપર્ણ લોકડાઉનની જાહેરાત થઈ છે.