ગુજરાતમાં ભારે વરસાદના કારણે હવામાન વિભાગે વધુ એક વખત માછીમારોને ચેતવણી આપી છે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડાવા સૂચન કર્યું છે. હવાની તેજ ગતિ, ઉંચા મોજા ઉછળવાની સંભાવનાને લઈ અલર્ટ આપ્યું છે. આવતીકાલે 60 કિમી સુધીની ઝડપે પવન ફુંકાવાની આશંકા છે. 28થી 30 જુલાઈ સુધી 65 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દીવથી જખૌ દરીયામાં 4.6 મીટર સુધી ઉંચા મોજા ઉછળી શકે છે.