અમરેલીમાં લોકોના હાલ બેહાલ બન્યા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યુ છે. લોકો નદીમાંથી અવર જવર કરી રહ્યા છે. પણ તંત્રની ઉંઘ નથી ઉડી રહી. અમરેલી રાજુલા નેશનલ હાઇવેનો પુલ માન્ડરડી ગામ નજીક તૂટી જતા તેના કેટલાક હિસ્સા જમીન દોસ્ત કરવામાં આવ્યા છે.
અમરેલીમાં લોકો તંત્રને વાંકે ભોગવી રહ્યા છે હાલાકી
પુલ તુટી ગયો અને ડાયવર્ઝન પર પાણી
જાયે તો જાયે કહાં સે?
અમરેલી રાજુલા નેશનલ હાઇવે નો પુલ માન્ડરડી ગામ નજીક તૂટી જતા તેના કેટલાક હિસ્સા જમીન દોસ્ત કરવા માં આવ્યા હતા જે કારણોસર માન્ડરડી ગામમાં નાના અને ફોરવિલ વાહનો માટે ડાયવર્ઝન કાઢવામાં આવ્યો હતો પરંતું પુર ના કારણે ડાયવર્ઝન તૂટી જતા હાલ વાહન ચાલકો અને ગ્રામ્ય જનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નદીમાં પાણી ની આવક ખૂબ થવાથી તે બે કાંઠે
અમરેલીની ઘાતરવડી નદીમાં કેડ સમાં પાણી હોવાથી લોકોએ જીવના જોખમે સામે કાંઠે જવા નદી પાર કરવી પડે છે. રાહદારીઓના હાલ પણ બેહાલ છે. કારણકે જો થોડો જ વરસાદ પડે તો નદીમાં પાણી ની આવક ખૂબ થવાથી તે બે કાંઠે વહે છે અને લોકો જઈ શકતા નથી અને આ ગામમાંથી સામે ગામમાં જ જવું હોય તો 25 કિમિનું અંતર કાપવું પડે છે. તેવી જ પરિસ્થિતિ રાહદારીઓની પણ છે.
2 કીમી દૂર જવા 25 કીમીનો ફેરો
2 કિમિ દૂર રાજુલા જવા 25 કીમી ફરીને જવું પડે છે જેથી લોકો હાલ પરેશાન હાલ છે અને તાકીદે આ પુલ રીપેર કરાવવા અથવા અહીં ડાયવરજન કાઢવા લોકો માંગ કરી રહ્યા છે. અહીંના સ્થાનિક ધારાસભ્યને લોકો એ રજુઆત પણ કરી છે.