ચક્રવાતી તોફાન 'અસાની'નો કહેર આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો છે. આંધ્રના વિશાખાપટ્ટનમમાં અસાનીના પ્રભાવના કારણે ભારે વરસાદ થયો હતો.
ચક્રવાતી તોફાનની આંધ્ર પ્રદેશમાં ભયંકર અસર
ઠેર ઠેર પાણી ભરાયા હોવાની વિગતો આવી
હવામાન વિભાગે આપી છે મોટી આગાહી
ચક્રવાતી તોફાન 'અસાની'નો કહેર આંધ્રપ્રદેશમાં જોવા મળ્યો છે. આંધ્રના વિશાખાપટ્ટનમમાં અસાનીના પ્રભાવના કારણે ભારે વરસાદ થયો હતો, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા. અસાનીને લઈને ઓડિશાથી લઈને આંધ્ર પ્રદેશની તટીય સરકારો હાઈ એલર્ટ પર છે. ચક્રવાતના કારણે સમુદ્રમાં મોટી હલચલ થઈ રહી છે, જેના કારણે માછીમારો થોડો સમયે તટથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, ચક્રવાતી તોફાન 10મેની રાતે એટલે કે, આજે રાતે ઉત્તર પશ્ચિમ સુધી આગળ વધશે. ત્યાર બાદ તે ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધતું દેખાશે.
અસાની તોફાનને જોતા ઈંડિગોએ વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર આવતી લગભગ 23 જેટલી ફ્લાઈટ રદ કરી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત અસાનીના કારણે આંધ્ર પ્રદેશના કેટલાય ભાગમાં 11 મે સુધી વરસાદ ચાલું રહેશે. એટલું જ નહીં, તેના કારણે ભારે પવન પણ ફુંકાશે. જેની સ્પિડ 40થી 60 કિમી પ્રતિ કલાકની હશે. તોફાન પશ્ચિમ બંગાળમાં પણ કહેર લાવશે. તેના કારણે કલકત્તામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. કલકત્તાના કેટલાય વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
#WATCH | Odisha: A group of fishermen had a narrow escape, as their boat capsized in the turbulent sea at Aryapalli near Chatrapur in Ganjam district. All the fishermen managed to swim to the shore, and no loss of lives reported. #CycloneAsanipic.twitter.com/ZH3ryOlHvR
ચક્રવાત અસાનીના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ખતરાને જોતા માછીમારોને કિનારે પાછા આવી જવા એલર્ટ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, સવારે ઓડિશામાં 6 હોડી દ્વારા 60 માછીમારોને કિનારે પાછા લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. ઉંચી લહેરોની વચ્ચે ફસાયેલી એક હોડી પલ્ટી ગઈ હતી. જે બાદ અફરાતફરી મચી ગઈ હતી. જો કે, સમયે રહેતા માછીમારોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.