18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલનને લઈને રાકેશ ટિકૈતે કહ્યું કે રેલ ફક્ત સ્ટેશન પર જ રોકાશે અને યાત્રીઓને ચા નાસ્તો કરાવાશે.
18 ફેબ્રુઆરીએ ખેડૂતોનું 12થી 4નું રેલ રોકો આંદોલન
રાકેશ ટિકૈતે આપ્યું મહત્વનું નિવેદન
રેલ ફક્ત સ્ટેશન પર જ રોકાશે અને યાત્રીઓને ચા નાસ્તો કરાવાશેઃ ટિકૈત
ભાકિયુના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે 18 ફેબ્રુઆરીએ રેલ રોકો આંદોલનની રણનીતિને લઈને મોડી રાતે નિવેદન આપ્યું છે. તેમાં તેઓએ કહયું કે આ દિવસે રેલ રોકો આંદોલન 12થી 4 સુધી ચાલશે, આ સાથે ખેડૂતો રેલને રસ્તામાં રોકશે નહીં. તેને સ્ટેશન પર જ રોકવામાં આવશે.
રેલ રોકો આંદોલનમાં ખેડૂતોની સમસ્યા જણાવાશે
કિસાન એન્જિન પર ફૂલ ચઢાવશે અને રેલ રોકો આંદોલન કરશે. આ સમયે યાત્રીઓને ચા નાસ્તો પણ કરાવાશે. આ સમયે યાત્રીઓને દેશમાં વધી રહેલી મોંઘવારી અને અન્નદાતાઓની સમસ્યાથી માહિતગાર કરાશે. ખેડૂત સરકારને એ સંદેશ આપશે કે આ આંદોલન દેશમાં ફેલાઈ ચૂક્યું છે.
રાકેશ ટિકૈત આ સ્થળે ધરણા કરશે
રાકેશ ટિકૈતે કહ્યું છે કે તેઓ યૂપી ગેટ પર જે ખેડૂતો ધરણા કરી રહ્યા છે ત્યાં રહેશે. પોતાના ગામથી ખેડૂતો નજીકના રેલ્વે સ્ટેશન પહોંચીને રેલ રોકશે. આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરાશે. પહેલા રેલના એન્જિન પર ફૂલ માળા ચઢાવાશે.
આ સમસ્યાઓની લોકોને કરાશે જાણ
રેલ રોકીને યાત્રીઓને ચા નાસ્તો કરાવવાની સાથે સાથે હવે સામાન ખેડૂતો પોતાના ગામથી લઈને આવશે. આ સમયે યાત્રીઓને જણાવાશે કે દેશમાં લોટ, દાળ, તેલ, પેટ્રોલ, ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. દરેક લોકો મોંઘવારીથી પરેશાન છે, સરકાર અન્નદાતાને સાંભળી રહી નથી.
અહીંથી સમર્થનમાં આવશે ખેડૂતો
આંદોલનમાં પશ્ચિમી યૂપી અને હરિયાણાની સાથે અન્ય રાજ્યો જેમકે તેલંગાણા, પંજાબ, કેરળ, રાજસ્થાનથી ખેડૂતો આવશે.