દિલ્હી: ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ઉત્સાહિત કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ આદરી દીધી છે. ત્યારે રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચીન પાયલટે કહ્યું કે રાહુલ ગાંધીએ ક્યારેય પોતાને પીએમ તરીકે રજૂ નથી કર્યા. કોંગ્રેસ અને સહયોગી સંગઠન નક્કી કરશે કે ચૂંટણીમાં જીત્યા બાદ પીએમ કોને બનાવવા.
ડીએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિને રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના દાવેદાવર ગણાવ્યા છે. પરંતુ તે ચૂંટણી જીત્યા બાદ નક્કી કરાશે. સચીન પાયલટે એવું પણ કહ્યું કે છેલ્લા ત્રીસ વર્ષમાં ગાંધી પરિવારમાંથી કોઈ પણ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી બન્યા નથી.
દરેક લોકો પાર્ટી માટે કામ કરે છે અને અમારો સંઘર્ષ સત્તા મેળવવા માટે નહીં પણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો છે. કારણકે ભાજપે જે માહોલ દેશમાં બનાવ્યો છે તે સારા સંકેત નથી. અમે મુદ્દાઓ અને સિદ્ધાંતો પર ચૂંટણી લડી રહ્યા છીએ. જો બંધારણ અને દેશના બંધારણીય સંગઠનોને નુકસાન પહોંચે છે તો આ વાત દેશહિતમાં નથી.