કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી હતી, આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું સંબોધન સત્યથી દૂર છે અને બેરોજગારી વિશે કોઈ ઉલ્લેખ નથી. ગયા વર્ષે 3 કરોડ યુવાનોએ નોકરી ગુમાવી હતી. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો હતો કે 50 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી હાલ ભારતમાં છે.
There was not a single word on unemployment in the Presidential Address. The youth across the country is looking for jobs. Your govt is unable to provide them with one: Congress MP Rahul Gandhi in Lok Sabha pic.twitter.com/gXtDidiZ2C
લોકસભામાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર રોજગારી મુદ્દે ખોટા આંકડા આપી રહી છે. સરકારે કોરોનાના સમયમાં જે સપોર્ટ આપવો જોઈતો હતો તે ન આપ્યો તેને કારણે 84 ટકા લોકોની આવક ઘટી અને તેઓ ઝડપથી ગરીબી તરફ ધકેલાઈ રહ્યાં છે. અમે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાં હતા અને તમે (મોદી સરકારે) 23 કરોડ લોકોને ફરી પાછા ગરીબીમાં ધકેલી દીધા.
કેન્દ્ર સરકાર રાજ્યોને દબાવી ન શકે
તેમણે કહ્યું, "તમે ત્રણ હજાર વર્ષના ઇતિહાસ પર એક નજર નાખો. તમે મૌર્યવંશને જુઓ, અશોકને જુઓ. વાટાઘાટો અને સંમતિ વિના કોઈએ શાસન કર્યું નથી. દેશના દરેક રાજ્યના લોકોની પોતાની ભાષા છે, તેમની પોતાની સંસ્કૃતિ છે. તે વિવિધતાઓનો ગુલદસ્તો છે. ભારત કેન્દ્રની લાકડીના આધારે ચાલી શકે નહીં. દેશ ચલાવવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વાતચીત જરુરી છે. કેન્દ્ર સરકાર રાજ્યોને દબાવી ન શકે.
બંધારણ ભારતને રાજ્યોનો સંઘ કહે છે, રાષ્ટ્ર નહીં
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણ એવું નથી કહેતું કે ભારત દેશ, ભારત રાજ્યોનું સંઘ છે. સરકારને ઇતિહાસનું જ્ઞાન નથી. સંવાદ વગર લોકો પર રાજ ન કરી શકે. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ, ભાષા, ઇતિહાસ હોય છે. કેન્દ્ર રાજ્યો પર કોઈ દબાણ લાવી શકે નહીં. આપણો દેશ સામાજિક નથી. દેશ ફૂલોના ગુલદસ્તા જેવો છે. કેન્દ્રની લાકડીથી દેશને ચલાવી શકાય નહીં.
સરકારે ખેડૂતોનો અવાજ ન સાંભળ્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતો રસ્તા પર બેસી ગયા, પરંતુ રાજાએ કોઈનો અવાજ સાંભળ્યો નહીં. સરકારના માળખામાં ખેડૂતો માટે કોઈ સ્થાન નથી. કાયદાઓ પાછા ખેંચવા અંગે રાહુલે કહ્યું કે, આ સરકાર અસમંજસમાં છે.
You speak of providing employment, 3 cr youth lost their jobs in 2021. Today India is facing the highest unemployment in 50 yrs. You talk of Made in India, Start-Up India, but the youth didn't get the employment they were supposed to.The one they had has disappeared: Rahul Gandhi pic.twitter.com/JIaGmmAC8P
પ્રધાનમંત્રી ઈઝરાયલ જઈને પેગાસસ લઈ આવ્યાં
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે વડા પ્રધાન ઇઝરાઇલ ગયા હતા અને પેગાસસ લાવ્યા હતા જેનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ સરકાર દેશની જનતાનું અપમાન ન કરી શકે.
બે અલગ અલગ ભારત, એક અમીર માટે બીજું ગરીબ માટે
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે બે અલગ ભારત છે, એક અમીરો માટે અને બીજો ગરીબો માટે. તેમણે કહ્યું, "બંને વચ્ચેનું અંતર વધી રહ્યું છે."
And then another India for the poor. The gap between these two Indias is widening: Congress MP Rahul Gandhi in Lok Sabha pic.twitter.com/TkAOQHqJ9B
મેડ ઇન ઇન્ડિયા હવે શક્ય નથી
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, તમે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની વાત કરો. મેડ ઇન ઇન્ડિયા હવે શક્ય નથી. તમે 'મેડ ઇન ઇન્ડિયા'ને બરબાદ કરી નાખ્યું છે. તમારે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ટેકો આપવાની જરૂર છે, નહીં તો 'મેડ ઇન ઇન્ડિયા' શક્ય નથી. માત્ર નાના અને મધ્યમ ઉદ્યોગો જ રોજગારી પેદા કરી શકે છે." તેમણે ઉમેર્યું હતું કે, "તમે મેડ ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા વગેરેની વાત કરી રહ્યા છો અને માત્ર બેરોજગારી વધી રહી છે."