પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગોવાની આઝાદી સંબંધિત પંડિત જવાહર લાલ નહેરુ પર આપવામાં આવેલા નિવેદન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે.
પીએમ મોદીની વાત પર રાહુલે આપ્યો જવાબ
પ્રધાનમંત્રી આવી વાતો કરીને ધ્યાન ભટકાવવા માગે છે
એ સમયની વાતોમાં સમય નથી બગાડવા માગતા રાહુલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગોવાની આઝાદી સંબંધિત પંડિત જવાહર લાલ નહેરુ પર આપવામાં આવેલા નિવેદન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વળતો જવાબ આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જો પંડિત જવાહર લાલ નહેરુ ઈચ્છતા તો 1947માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે જ ગોવા પણ થોડા કલાકોમાં જ આઝાદ થઈ જાત. પણ આ રાજ્યને પોર્ટુગલના રાજમાંથી આઝાદ કરવામાં 15 વર્ષ લાગી ગયા. આ નિવેદનનો જાવબ આપતા રાહુલે આરોપ લગાવ્યો હતો કે, આવી વાતો કરીને પ્રધાનમંત્રી, પર્યાવરણ અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓથી ગોવાનું ધ્યાન ભટકાવવા માગે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમને તે સમયની સ્થિતી અને વર્લ્ડવોર 2 બાદ શું થઈ રહ્યું હતું તેના વિશે કંઈ જાણકારી નથી.
દ્રિતિય વિશ્વયુદ્ધ બાદ શું થયું તે નથી જાણતા- રાહુલ ગાંધી
મડગામમાં પ્રેસ કોન્ફંરસને સંબોધન કરતા રાહુલે કહ્યું કે, પીએમ તે સમયના ઈતિહાસને નથી જાણતા. તેઓ એ વાતને સમજી શકતા નથી કે, તે સમયે દ્રિતિય વિશ્વયુદ્ધ બાદ શું થઈ રહ્યું હતું. તે પર્યાવરણ અને રોજગાર જેવા અસલ મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે. જો કે, આ દરમિયાન રાહુલે હિજાબ વિવાદ પર કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી. રાહુલે કહ્યું કે, મારુ મિશન આ વાત પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે કે ગોવાના લોકો માટે શું મહત્વનું છે. ગોવાના એક દિવસ પ્રવાસ પર આવેલા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, ગોવામાં કોંગ્રેસ મોટી સંખ્યામાં સીટો પર જીત મેળવશે અને ચૂંટણી બાદ કોઈ પણ ગઠબંધનની જરૂર પડશે નહીં. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી બહુમત મેળવશે.
પીએમ મોદીએ કહી હતી આ વાત
અહીં ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ ગોવામાં થનારી ચૂંટણી પહેલા માપુસામાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ગોવામાં દુશ્મની માફક માની રહી છે અને આ વ્યવાહર હાલમાં પણ ચાલુ છે. જેને પાર્ટી તરફથી રાજ્ય પર થોપવામાં આવેલી રાજકીય અસ્થિરતાની સ્થિતી સાથે જોઈ શકાય છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય ગોવાની રાજકીય સંસ્કૃતિ અને અહીંના યુવાનોની આકાંક્ષાઓને સમજી શકી નથી. તેમના મનમાં હંમેશા ગોવા માટે શત્રુતાની ભાવના જ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, એવા કેટલાય ઐતિહાસિક તથ્ય છે, જેને લોકોથી છુપાવીને રાખવા માગે છે. વધુમાં તેમણે કહ્યું કે, ત્રણ દિવસ પહેલા મેં સંસદમાં આ વાત કહી હતી અને દેશને એ સચ્ચાઈ જણાવી હતી કે, કેવી રીતે ગોવાના મુક્તિ આંદોલનને તબાહ કરી નાખ્યું. તેમણે કહ્યું કે, ઘણા બધાં લોકો નથી જાણતા કે, ભારત દેશની આઝાદી 15 વર્ષ બાદ આઝાદ થયો હતો. ભારત પાસે સેનાના રૂપમાં તાકાત હતી, એક મજબૂત નૌસેના હતી અને આ કામ થોડા સમયમાં થઈ શકતું હતું. પણ કોંગ્રેસે 15 વર્ષ સુધી કંઈ કર્યું નહીં.