રાહુલ ગાંધીએ બુધવારે એક ટ્વિટમાં લખ્યું હતું કે 'મોદી સરકારે NFSAના લાભાર્થીઓની સૂચિ વિસ્તૃત કરવાની હતી પરંતુ સરકારે તેમ કર્યું નહીં. જનતાને તેમના હક માટે અનાજ મળ્યું ન હતું અને આ સમસ્યાએ એક સંકટનું રૂપ ધારણ કર્યું હતું.
રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર સાધ્યું નિશાન
સરકારે NFSAના લિસ્ટનો નથી કર્યો વિસ્તાર
લાભાર્થીઓ તેમના હક નું અનાજ નથી મેળવી શક્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ ના લાભાર્થીઓની સૂચિ વિસ્તૃત કરવામાં નિષ્ફળતા માટે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે બુધવારે એક ટ્વિટમાં લખ્યું, 'મોદી સરકારે એનએફએસએના લાભાર્થીઓની સૂચિ વિસ્તૃત કરવાની હતી પરંતુ સરકારે તેમ કર્યું નહીં. જનતાને તેમના હક માટે રેશન મળ્યું ન હતું અને આ સમસ્યા એક આપત્તિમાં ફેરવાઈ ગઈ હતી.
मोदी सरकार को NFSA के लाभार्थीयों की लिस्ट का विस्तार करना था।
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે પોતાના ટ્વિટ સાથે એક અહેવાલની તસ્વીર જોડી હતી. જેમાં માહિતી આપવામાં આવી છે કે સરકાર ફૂડ સિક્યુરીટી એક્ટના લાભાર્થીઓની લિસ્ટને અપડેટ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે લાખો પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાહુલ છે આક્રમક મૂડમાં
રાહુલ ગાંધીએ તાજેતરમાં જ ટ્વીટ્સ દ્વારા કેન્દ્ર સરકાર અને ભાજપ સામે આક્રમક વલણ શરૂ કર્યું છે. સરકારની નિષ્ફળતાઓ અંગે તેઓ ખૂબ જ અવાજ કરે છે. આ અગાઉ તેમણે દેશમાં ઝડપથી વધી રહેલી બેરોજગારી વિશે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, "છેલ્લા 4 મહિનામાં લગભગ 2 કરોડ લોકોએ રોજગાર ગુમાવી છે. 2 કરોડ પરિવારોનું ભાવિ અંધકારમાં છે. ફેસબુક પર ખોટા સમાચાર અને દ્વેષ ફેલાવીને દેશની બેકારી અને અર્થવ્યવસ્થાનું સત્ય દેશથી છુપાવી શકાતું નથી."
पिछले 4 महीनों में क़रीब 2 करोड़ लोगों ने नौकरियाँ गँवायी हैं। 2 करोड़ परिवारों का भविष्य अंधकार में है।
फेसबुक पर झूठी खबरें और नफ़रत फैलाने से बेरोज़गारी और अर्थव्यवस्था के सर्वनाश का सत्य देश से नहीं छुप सकता। pic.twitter.com/xXagwu5Ytx
પહેલા પણ રાહુલ ગાંધી મોદી સરકાર પર કરી ચૂક્યા છે પ્રહાર
રાહુલે આ અગાઉ ભારત-ચીન સરહદ વિવાદ, કોરોના રોગચાળા અને પીએમ કેર્સ ફંડ સાથે વ્યવહાર કરવામાં સરકારની કથિત નિષ્ફળતા જેવા મુદ્દાઓ પર સરકાર પર પ્રહાર કર્યા છે. 16 ઓગસ્ટે સરહદ વિવાદના મામલામાં રાહુલે એવા મતલબની ટ્વીટ કરી હતી કે 'વડા પ્રધાન સિવાય દરેક દેશવાસી ભારતીય સેનાની તાકાત અને બહાદુરીમાં વિશ્વાસ રાખે છે. પરંતુ તેમની કાયરતાને લીધે ચીન ભારતીય જમીન પચાવી શક્યું અને ચીન તે જમીન જાળવી રાખશે કેમ કે પીએમ મોદી જૂઠ બોલી રહ્યાં છે.