અર્થતંત્રના મોરચે આંચકાનો સામનો કરી રહેલ મોદી સરકાર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી મોટો હુમલો કર્યો છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા આવેલા રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશમાં મોંઘવારી વધી છે અને અર્થતંત્ર નીચે જઇ રહ્યું છે. આ સભામાં રાહુલે એક ફોર્મ્યુલા પણ સૂચવી, જેમાં તેમણે કહ્યું કે 15 મિનિટમાં દેશની અર્થવ્યવસ્થા કેવી ઉભી થઇ શકશે.
મોદી સરકાર રાહુલ ગાંધીના પ્રહાર
અર્થવ્યવસ્થાને ઉભી કરવા માટે આપી ફોર્મ્યુલા
રાજમહેલની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'નરેન્દ્ર મોદી ફક્ત તેમના ધનિક મિત્રોની મદદ કરે છે, જેટલા પૈસા મોદી સરકારે અમીરોને આપ્યા છે જો તે દેશના ગરીબોને આપવામાં આવ્યા હોત તો દેશની અર્થ વ્યવસ્થા 15 મિનિટમાં ઉભી થઇ જશે. કારણ કે ગરીબ પાસે જ્યારે પૈસા હોય તો જ સામાન ખરીદે.
કોંગ્રેસના નેતાએ એમ પણ અહીં સમજાવ્યું કે અર્થતંત્ર કેમ નીચે આવી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે દેશની અર્થવ્યવસ્થા તૂટી રહી છે કારણ કે ગરીબ લોકો પાસે કંઈપણ ખરીદવા માટે પૈસા નથી. તેમણે કહ્યું કે જીએસટી, નોટબંધીના કારણે સામાન્ય લોકોને હાલાકી વેઠવી પડી છે અને દેશના માત્ર 15-20 ઉદ્યોગપતિઓને જ ફાયદો થયો છે.
પ્રધાનમંત્રી મોદી પર કર્યા આકરા પ્રહાર
मीडिया किसानों, मजदूरों, बेरोजगार युवाओं का नहीं है, ये मोदी के मालिकों यानी 10-15 उद्योगपतियों का है, इसलिए मेरा चेहरा मीडिया में नहीं दिखता।
રાહુલે કહ્યું કે પીએમ મોદી 24 કલાક માટે ઝારખંડના પૈસા અમીરોને પકડાવે છે. ગરીબ લોકોના ખિસ્સામાંથી પૈસા પાછા તેમના મિત્રોને આપ્યા. કોંગ્રેસ નેતાએ ફરી એકવાર જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ ગણાવ્યો. રાહુલે કહ્યું કે પીએમ મોદી ઇચ્છે છે કે દેશ ડરીને રહે, આ માટે તેઓ લોકોનું વિભાજન કરતા રહે છે.