આજે રાહુલ ગાંધી અને કેટલાક નેતાઓ લખીમપુર ખીરી મુલાકાતે જવાનાં હતા પરંતુ તેઓને પરવાનગી નથી મળી શકી. અગાઉ પ્રિયંકા ગાંધીની પણ અટકાયત બાદ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રિયંકા અને અન્ય 10 લોકો સામે FIR
લખીમપુર ખેરી અંગે રાજકારણનો ખેલ તો ચાલુ જ છે અને તમામ નેતાઓ અહીં પહોંચવાની દોડમાં છે. રાહુલ ગાંધી પણ આજે એટલે કે બુધવારે જવાના હતા. કોંગ્રેસે રાહુલની લખીમપુર ખેરી મુલાકાત માટે યોગી સરકાર પાસેથી પરવાનગી પણ માંગી હતી. જો કે, માહિતી મળી રહી છે કે રાજ્ય સરકારે રાહુલ અને તેમની સાથેના પ્રતિનિધિમંડળમાં સામેલ લોકોને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ માહિતી આવ્યા બાદ રાહુલ ગાંધી દિલ્હીના 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સવારે 10 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધિત કરશે.
10 વાગ્યે પત્રકાર પરિષદ
અગાઉ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી અહીં પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. જણાવી દઈએ કે લખીમપુર ખેરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન વચ્ચે મોટો હોબાળો થયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અને તેમના પુત્ર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ કેસમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. અહીં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
વેણુગોપાલે સીએમ યોગીને પત્ર લખ્યો
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખીને રાહુલ ગાંધીના નેતૃત્વમાં લખીમપુર ખેરીની મુલાકાત લેવાની પરવાનગી માંગી છે. તેમણે લખ્યું છે કે યુપી અને પી. બંગાળના નેતાઓને ત્યાં જવા દેવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસને કેમ જવા દેવામાં આવી રહી નથી.
પ્રિયંકા અને અન્ય 10 લોકો સામે FIR
આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, શાંતિ ભંગ કરવા બદલ પ્રિયંકા અને અન્ય 10 લોકો સામે FIR નોંધવામાં આવી છે. જેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડા અને અજય કુમાર લલ્લુના નામ સામેલ છે.
प्रियंका, मैं जानता हूँ तुम पीछे नहीं हटोगी- तुम्हारी हिम्मत से वे डर गए हैं।
પ્રિયંકાને સીતાપુરના હરગાંવથી લખીમપુર ખેરી જતી વખતે અટકાયતમાં કરવામાં આવી હતી. આ પછી તેઑની ધરપકડ પણ કરવામાં આવી હતી. હાલમાં, પીએસી ગેસ્ટ હાઉસ જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા ત્યાં જ અસ્થાયી જેલ જાહેર કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ મંગળવારે સવારે એક દિવસથી વધુ સમય સુધી તેમની અટકાયત પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, "નરેન્દ્ર મોદી સાહેબ, તમારી સરકારે મને કોઈ પણ આદેશ અને એફઆઈઆર વગર છેલ્લા 28 કલાકથી કસ્ટડીમાં રાખી છે. પરંતુ ખેડૂતોને કચડી નાંખનાર હજુ સુધી પકડાયો નથી."