રાહુલ ગાંધીની નાગરિકતા મામલે એક વ્યક્તિએ RTI કરીને ગૃહ મંત્રાલય પાસે માહિતી માગી હતી. જોકે, કેન્દ્ર સરકારે RTI અંર્તગત માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, માહિતી આપવામાં આવે તો તેની તપાસ પ્રક્રિયા પર અસર થઈ શકે છે અને સંપૂર્ણ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ માગી હતી માહિતી
મહત્વનું છે કે, સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર રાહુલ ગાંધી સામે તપાસ ચાલી રહી છે. રાહુલ ગાંધી પાસે બ્રિટિશ નાગરિકત્વ હોવાનો ચૂંટણી અગાઉ સુબ્રમણ્યમ સ્વામીએ આક્ષેપ કર્યો હતો.
રાહુલ ગાંધીને જવાબ આપવા માટે નોટિસ
જેને લઈને ગૃહ મંત્રાલયે એપ્રિલમાં રાહુલ ગાંધીને નોટિસ મોકલી હતી. સ્વામીના આરોપ મુદ્દે રાહુલ ગાંધીને જવાબ આપવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે ત્યારે સરકારે નાગરિકતા મુદ્દે જવાબ આપવાનો ઇન્કાર કર્યો છે.
આ સિવાય 17 ફેબ્રુઆરી 2009ના રોજ આ કંપનીની અરજીમાં પણ તમારી નાગરિકતા અંગે જણાવવામાં આવેલ છે. જે સંબંધિત આપને અનુરોધ કરવામાં આવે છે કે, એક અઠવાડિયાની અંદર તથ્યાત્મક રીતે તમે મંત્રાલય સમક્ષ જવાબ રજુ કરશો.
પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
#WATCH Priyanka Gandhi Vadra on MHA notice to Rahul Gandhi over citizenship, says," The whole of India knows that Rahul Gandhi is an Indian. People have seen him being born and grow up in India. Kya bakwaas hai yeh?" pic.twitter.com/Rgt457WMoi
આ સાથે જ ભાજપે કટાક્ષ કરતાં પૂછ્યું હતું કે કયા રાહુલ ઓરિજિનલ છે.લંડન વાળા કે લુટિયંસ વાળા ? ત્યારે ભાજપના આ આરોપો પર મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આને બકવાસ ગણાવી છે અને કહ્યું કે રાહુલ ગાંધી ભારતીય છે, તેઓ અહીં જ જન્મ્યા છે અને અહીં જ મોટા થયા છે.