દેશમાં કોરોના વાયરસ પીક પર છે ત્યારે કોરોનાની સરકારની રણનીતિને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વાર પ્રહાર કર્યો છે.
દેશમાં કોરોના વાયરસ પીક પર
રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
કોરોનાની રણનીતિને લઈને સરકાર પર કર્યા પ્રહાર
કોરોના વાયરસનો કહેર આખા દેશમાં પીક પર છે અને સતત વધી રહ્યો છે ત્યારે સતત બીજા દિવસે કોરોના વાયરસના 2 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આ રીતે તે છેલ્લા 37 દિવસથી કોરોના સંક્રમણ વધવાનો સિલસિલો ચાલી રહ્યો છે. જે રીતે કોરોના વાયરસના કેસની ગતિ વધી રહી છે ત્યારે ફરી એક વાર લોકડાઉનની જરૂર લાગી રહી છે. આ સમયે કેન્દ્ર સરકારે કોરોનાને લઈને રણનીતિ પર પ્રહાર કર્યા છે અને 3 સ્ટેપમાં કહ્યું કે કોરોનાની વિરોધની લડાઈમાં સરકારની શું રણનીતિ છે.
રાહુલ ગાંધીએ કરી ટ્વિટ
આજે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારની કોરોનાની રણનીતિ પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે કેન્દ્ર સરકારની 3 રણનીતિ છે. પહેલું - તુઘલકી લોકડાઉન લગાઓ, બીજું- ઘંટી વગાડો અને ત્રીજું - પ્રભુના ગુણ ગાઓ. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કોરોના સામે લડવાની કેન્દ્ર સરકારની નીતિને માટે આક્રમક મૂડમાં છે.
ना टेस्ट हैं, ना हॉस्पिटल में बेड,
ना वेंटिलेटर हैं, ना ऑक्सीजन,
वैक्सीन भी नहीं है,
बस एक उत्सव का ढोंग है।
આ પહેલા પણ રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું હતુ નિશાન
આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસના વધતા કેસને લઈને ગુરુવારે સરકાર પર નિશાન સાધ્યું અને સાથે આરોપ લગાવ્યો કે જરૂરી ચિકિત્સા સુવિધાઓના અભાવની વચ્ચે વેક્સીનેશન ઉત્સવ એક ઢોંગ છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું ના ટેસ્ટ, ના હોસ્પિટલમાં બેડ, ના વેન્ટીલેટર, ના ઓક્સીજન....વેક્સીન પણ નહીં, બસ એક ઉત્સવનો ઢઓંગ છે. પીએમ કેયર્સ?
24 કલાકમાં આવ્યા આટલા કેસ
દેશમાં ગુરુવારે રાત સુધી કોરોનાના કેસમાં વધારો થયો છે. 24 કલાકમાં 216850 નવા કેસ આવ્યા છે અને સાથે 1138 લોકોના મોત થયા છે. આ મહામારીની શરૂઆતથી લઈને અત્યારસુધી 1 દિવસમાં મળનારા નવા કોરોના સંક્રમિતનો આંક સૌથી વધારે છે. કોરોનાની બીજી લહેર પહેલી લહેરને પાછળ છોડી ચૂકી છે. કુલ સંક્રમિતોની સંખ્યા 14287740 થઈ ચૂકી છે. કોરોનાથી પીડિત લોકોના સાજા થવાનો દર ઘટીને 89.51 ટકા થયો છે.