કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત પર આવ્યાં છે ત્યારે તેઓએ રાફેલ ડીલને લઇને એક વાર ફરી ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ગુજરાતનાં વલસાડમાં એક સભાને સંબોધિત કરતા રાહુલે એક વાર ફરી 'ચોકીદાર ચોર છે'નાં સૂત્રો ઉછાળ્યાં.
રાફેલ કરાર પર પીએમ મોદીને ઘેરતા રાહુલ ગાંધીએ કહ્યું 'ચોકીદાર ચોર છે'નાં સૂત્રોચ્ચાર ફ્રાંસમાં પણ પ્રખ્યાત છે અને એટલે સુધી કે ફ્રાંસનાં પૂર્વ રાષ્ટ્રપતિએ પણ કહ્યું કે 'ચોકીદાર ચોર છે.' રક્ષામંત્રી અને વાયુસેનાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ કરાર પર દસોલ્ટ એવિએશન સાથે સમાન્તર વાર્તાઓ કરી હતી.
મોદી સરકારની અંતરિમ બજેટ જાહેરાત પર રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવે છે તો અમે આવક ગેરંટી યોજના અંતર્ગત 17 રૂપિયા પ્રતિદિનથી અનેક ઘણાં ગરીબોનાં ખાતામાં સીધે-સીધાં જ અપાશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારે ખેડૂતોનું દેવું માફ કરવાંથી ઇન્કાર કરી દીધો પરંતુ 15 પ્રમુખ ઉદ્યોગપતિઓનાં સાડા ત્રણ લાખ કરોડનાં દેવાંને માફ કરી દેવાયાં. મેં વાયદો કર્યો હતો કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર બન્યાં બાદ 10 દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે.
મને એ કહેતા ગર્વ થાય છે કે અમે દેવું માફ કરવામાં 10 દિવસ પણ નથી લીધાં. કમલનાથજી અને ભૂપેશ બઘેલજીએ 6 કલાક તો અશોક ગેહલોતજીએ પણ બે દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દીધું.
Rahul Gandhi in Gujarat:I promised to waive off loans in Madhya Pradesh Rajasthan & Chhattisgarh within 10 days of forming the govt. I'm proud to say that it didn't take 10 days; Kamal Nath Ji & Bhupesh Baghel ji waived off loans in 6 hours & Ashok Gehlot Ji did it in 2 days. pic.twitter.com/sZDo76oJWU