રાહુલ ગાંધીના પ્રેસ કોન્ફરન્સના આરોપનો જવાબ દેવા માટે ભાજપે રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યાં હતા.
સંસદનું સભ્યપદ રદ થયા બાદ પહેલી વાર આક્રમક મૂડમાં આવ્યાં રાહુલ ગાંધી
પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મુદ્દે આપ્યાં જવાબ
રાહુલ ગાંધી પર ભાજપે પણ કર્યો વળતા પ્રહાર
ભાજપ વતી રવિશંકર પ્રસાદે સંભાળ્યો મોરચો
સંસદનું સભ્યપદ ગુમાવ્યાં બાદ રાહુલ ગાંધી પહેલી વાર સામે આવ્યાં હતા અને તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મુદ્દે સરકારની ઘેરાબંધી કરી હતી. રાહુલને જવાબ આપવા માટે ભાજપે પણ તેના નેતા રવિશંકર પ્રસાદને ઉતાર્યાં હતા. પ્રસાદે રાહુલ ગાંધીને જવાબ આપતાં કહ્યું કે રાહુલ ગાંધીએ મોદી સમાજનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ એવું કહ્યું કે બધા ચોરની અટક મોદી જ કેમ હોય છે, આ મોદી સમાજનું અપમાન છે, ટીકાનો અર્થ દુરુપયોગ એવો નથી થતો. રાહુલ ગાંધીને 2019માં તેમના એક ભાષણની સજા મળી છે. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે આજે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું સમજી વિચારીને બોલું છું, તો પછી 2019માં તમે જે કહ્યું તે સમજી વિચારીને બોલેલું હતું.
VIDEO | "You have the right to criticise. You don't have the right to abuse and insult. He (Rahul Gandhi) abused and insulted (a backward community) in a public meeting. The court gave him a chance to apologise. He said he won't apologise," says @rsprasad. pic.twitter.com/VcQqBcJnqO
VIDEO | "He (Rahul Gandhi) addressed a press conference in Delhi and did not say anything on the matter (On his conviction in the 2019 defamation case). He tried to mislead again," says BJP leader @rsprasad. pic.twitter.com/p4xjS122bX
રાહુલ ગાંધી આજે ફરી જુઠુ બોલ્યાં-પ્રસાદ
રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે ભાજપનું માનવું છે કે રાહુલ ગાંધીએ જાણી જોઈને પછાતોનું અપમાન કર્યું છે અને અમે તેની ટીકા કરીએ છીએ. ભાજપ નેતાએ રાહુલ ગાંધી પર વિદેશ જઈને ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. રવિશંકર કહ્યું કે આજે રાહુલ ગાંધી ફરી જૂઠું બોલ્યા કે તેઓ લંડનમાં કંઈ બોલ્યા નથી. રાહુલ ગાંધીએ લંડનમાં કહ્યું હતું કે ભારતમાં લોકશાહી નબળી પડી રહી છે અને યુરોપિયન દેશો ધ્યાન આપી રહ્યા નથી.
No attempts made to seek stay on Surat court verdict to encash Rahul’s conviction in Karnataka assembly polls: Ravi Shankar Prasad
કર્ણાટકમાં રાજકીય લાભ લેવા રાહુલની સજા ન પડકારાઈ- પ્રસાદ
રવિશંકર પ્રસાદે એવું પણ કહ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે રાહુલની સજા પરના સુરત કોર્ટના ચુકાદાને પણ પડકારાયો નહોતો.
Rahul's utterances on Modi surname abusive, not critical; BJP to launch stir against his insult to OBCs: Ravi Shankar Prasad in Patna
મોટા આંદોલનનું એલાન
પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધીની મોદી સરનેમવાળી ટીપ્પણી ટીકા નથી પરંતુ સમાજનું અપમાન છે. રાહુલ ગાંધીના સમાજના અપમાનની સામે ભાજપે મોટું આંદોલન કરશે.
#WATCH | My name is not Savarkar, it is Gandhi, and Gandhi never offers an apology, says Rahul Gandhi during his press conference in Delhi pic.twitter.com/RxGcsVw0ye
સંસદમાં સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલે કરી પ્રેસ કોન્ફરન્સ
સંસદમાં સદસ્યતા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી શનિવારે (25 માર્ચ) પ્રથમ વખત મીડિયા સમક્ષ હાજર થયા હતા.તેમણે કહ્યું હતું કે ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, રોજ નવા નવા દાખલા મળી રહ્યા છે. મારુ સભ્યપદ છીનવી ને મારો અવાજ બંધ નહીં કરી શકો, હું કોઈનાથી ડરતો નથી. મારા ભાષણને સંસદમાંથી હટાવી દેવામાં આવ્યું, મને ધમકાવીને મને ચૂપ કરાવી શકશો નહીં. હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું અને લડતો રહીશ. સંસદમાં મારા વિષે ખોટું બોલવામાં આવ્યું, મેં મારી વાત મૂકી તો કોઈ જવાબ આવ્યો નહીં. તેમણે વધુમાં કહ્યું કે, "અદાણીની શેલ કંપની છે, તેમાં કોઈએ 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, તે અદાણી જીના પૈસા નથી, આ કોઈ બીજાના પૈસા છે, સવાલ એ છે કે આ 20,000 કરોડ રૂપિયા કોના છે.અદાણી અને મોદીજી વચ્ચેના સંબંધો વિશે વિગતવાર વાત કરી.આ સંબંધ નવો નથી, સંબંધ જૂનો છે.