રાહુ અને કેતુ આ બંને ગ્રહોને છાયા ગ્રહો કહેવામાં આવે છે આ બંને ગ્રહોની ખરાબ અસર તેની રાશિ પરિવર્તનને કારણે દરેક ગ્રહ પર પડે છે
14 જૂનના રોજ રાહુ બદલશે નક્ષત્ર
20 ફેબ્રુઆરી 2023 સુધી લાભ જ લાભ
3 રાશિના જાતકોને થશે ફાયદો
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી ગ્રહ માનવામાં આવે છે જેનો રાહુ ખાડામાં હોય તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમાં પણ રાહુ અને કેતુને છાયા ગ્રહ કહેવાય છે. જે જાતક પર રાહુ અને કેતુની ખરાબ અસર પડે તેનુ જીવન તબાહ થઇ જાય છે. રાહુ 14 જૂનના રોજ નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યો છે. હાલ રાહુ મેષ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં છે. 8 દિવસ બાદ રાહુ ભરણી નક્ષત્રમાં કરશે પ્રવેશ. આ નક્ષત્રમાં રાહુ આગામી 20 ફેબ્રુઆરી 2023 સુધી રહેશે. ત્યારે જાણીએ કઇ રાશિમાં પડશે આવી અસર
શુભ માનવામાં આવે છે ભરણી નક્ષત્ર
ભરણી નક્ષત્રમાં જન્મેલા લોકોની રાશિ મેષ હોય છે મેષનો સ્વામી મંગળ ગ્રહ છે,. આ નક્ષત્રનો સ્વામી શુક્ર છે. એવામાં આ નક્ષત્રમાં જન્મેલા જાતકો પર મંગળ અને શુક્રનો પ્રભાવ હોય છે. જે કાર્યથી સાહસી, નીડર અને સુખની લાલસા ધરાવે છે. વચનના પાક્કા અને આકર્ષક હોય છે.
ભરણીનો રાહુ જગાડશે 3 રાશિના જાતકોનું ભાગ્ય
ભરણી નક્ષત્રમાં રાહુનો પ્રવેશ અને આગામી 8 મહિના સુધી આ નક્ષત્રમાં તેની હાજરી 3 રાશિઓને ખૂબ જ શુભ ફળ આપશે. આ દરમિયાન તેમને પૈસા મળશે, પ્રગતિ થશે. ત્યારે જાણીએ કઇ છે ભાગ્યશાળી રાશિઓ
મેષઃ રાહુના નક્ષત્રમાં ફેરફારથી મેષ રાશિના લોકોને કરિયર અને આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ લાભ થશે. પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારો થશે. રોકેલા પૈસા મળશે. પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે.
વૃષભ: ભરણી નક્ષત્રમાં રાહુનો પ્રવેશ વૃષભ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ કરાવશે. તેમને લાભની ઘણી તકો મળશે. તમે તમારી કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ કરશો. પ્રમોશન થશે. તમે મુસાફરીથી ઘણા પૈસા કમાઈ શકશો.