દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત 5 રાજ્યોમાંથી એક પોઝિટિવ સંકેત મળતાં રાહતની આશા જાગી છે. આ રાજ્યોમાં કોરોનાની R વેલ્યૂ 1થી પણ નીચે છે. R વેલ્યૂ એ લોકોની સંખ્યા દર્શાવે છે જે કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. દેશના 5 મોટા રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં હવે R વેલ્યૂ 1થી પણ ઓછી હોવાથી એક્ટિવ કેસનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોનાથી પ્રભાવિત 5 રાજ્યોએ આપી રાહત
R વેલ્યૂ ઘટવાના મળી રહ્યા છે સંકેત
સૌથી વધુ પ્રભાવિત 5 રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટી
ચેન્નઈના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૈથમેટિકલ સાયન્સના અનુસાર 19 સપ્ટેમ્બર પછી ભારતની R વેલ્યૂ ઘટીને 0.9 થઈ છે. આ પહેલાં એક અઠવાડિયામાં તે 1.1 હતી. 19 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બરની વચ્ચે 5 રાજ્યો- મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં R વેલ્યૂ 1થી પણ નીચે આવી છે. જો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ આંક ઉપર જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રના આંકડાને લઈને નેશનલ એવરેજ પર થશે અસર
ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ આવનારા સમયમાં શું રહેશે તે માટે મુંબઈ, પુના, ચેન્નઈ, કોલકત્તા, બેંગલુરુ પર આધાર રહેશે. હાલમાં ભારતની સ્થિતિ મહારાષ્ટ્ર પર નિર્ભર કરે છે. કેમકે અહીં સૌથી વધારે એક્ટિવ કેસ છે. તેમાં R વેલ્યૂનું મહત્વ ખાસ છે. મહારાષ્ટ્રની R વેલ્યૂના કારણે ભારતની R વેલ્યૂ અસ્તવ્યસ્ત થઈ રહી છે. જો ભારતની R વેલ્યૂ 1થી નીચે આવે તો મહામારી પર કાબૂ મેળવી શકાય છે.
ઓછા એક્ટિવ કેસ વાળા રાજ્યો પર રહેશે ફોકસ
સરકાર એ રાજ્યોમાં કન્ટેનમેન્ટના ઉપાયો પર ધ્યાન આપવાની જરૂર છે જ્યાં મોટી સંખ્યામાં એક્ટિવ કેસ નથી પણ R વેલ્યૂ 1થી વધારે છે. કેમ કે R વેલ્યૂ વધારે હોવાનો અર્થ એ છે કે આ રાજ્યોમાં કોરોના ઝડપથી ફેલાઈ શકે છે અને તે હજુ પણ વધારે પ્રભાવિત રાજ્યોની જગ્યા લઈને નેશનલ એવરેજ પર અસર કરી શકે છે.
મહાનગરોની R વેલ્યૂ ફરીથી વધી
સૌથી વધારે પ્રભાવિત 5 રાજ્યોમાંથી 18-21 સપ્ટેમ્બરની વચ્ચે આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશની R વેલ્યૂ 1થી નીચે રહી છે. મુંબઈની R વેલ્યૂ ઘટી હતી પણ ફરીથી વધી છે. આ રીતે ચેન્નઈ, બેંગલુરુ અને કોલકત્તાની R વેલ્યૂ પણ 1થી વધુ છે. આ રીતે નવા કેસથી વધારે રિકવરી થઈ રહી છે. તેનાથી આશા વધી રહી છે કે ભારત એક્ટિવ કેસની સંખ્યાને કાબૂમાં કરી લેશે અને R વેલ્યૂ પણ ઘટશે.