BCCIનું કામકાજનું ધ્યાન રાખવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાસકોની સમિતિ (CoA)એ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીને આગામી વિદેશ પ્રવાસ દરમિયાન ટીમના સભ્યોની પત્ની અને ગર્લફ્રેન્ડ્સની યાત્રાની જાણકારી આપવા માટે કહ્યુ છે.
વાસ્તવમાં, વિદેશ પ્રવાસ પર રમનારી ટીમના સભ્યોની પત્ની અને ગર્લફેન્ડની યાત્રાની અનુમતિ આપવી અથવા તો નામંજૂર કરવાનો નિર્ણય કોચ અને કેપ્ટનના હાથમાં છે. આવુ પહેલી વખત છે જ્યારે આ અધિકાર કોચ અને કેપ્ટનને આપવામા આવ્યો હોય. આ પહેલા BCCI મેનેજમેન્ટ આ નિર્ણય લેતુ હતુ. COAના આ નિર્ણયથી BCCI અને હવે લોઢા પેનલ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
BCCIના અધિકારી અનુસાર, ''પત્ની અને ગર્લફ્રેન્ડ્સ ટૂર પર જશે કે નહીં તેનો નિર્ણય કોચ અને કેપ્ટનને આપવો હિતનો ટકરાવ છે. તેણે કહ્યું કે, આ પહેલા પણ COAએ માત્ર BCCI જ નહીં પરંતુ લોઢા પેનલના નિયમનો પણ ઉલ્લઘન થાય તેવા નિર્ણય લીધા છે.''
BCCIના સૂત્રોનું કહેવું છે કે આ ફક્ત હિતનો ટકરાવ નથી પરંતુ આની અસર ટીમના પ્રદર્શન પર પણ થઇ શકે છે. આ સાથે સવાલ પણ કર્યુ છે કે શું કોચ અને કેપ્ટનને આ અધિકાર આપતા પહેલા ક્રિકેટરોની પત્ની અને ગર્લફ્રેન્ડને પણ પૂછવામાં આવ્યુ છે કે અથવા તો ક્રિકેટરોની પત્નીને બિઝી શેડ્યૂલને ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે.
જ્યારે આર એમ લોઢાએ કહ્યું હતું કે, ''આવા નિણર્ય લેવા માટે લોકપાલ ડી કે જૈન ત્યાં હાજર છે. દરેક જણ લોઢા પેનલના પ્રસ્તાવનો પોતાની રીતે ઉપયોગ કરી રહ્યું છે. જો આવી કોઈ વાત સામે આવે તો તેનો નિર્ણય લોકપાલે જ લેવો જોઈએ અને લોકપાલના સંવિધાનનો સામે લેવાતા નવા પગલાંનો વિરોધ કરવો જોઈએ.''