પંજાબ પોલીસ બુધવારે સવારે કવિ તથા આપના બળવાખોર નેતા ડો. કુમાર વિશ્વાસના ઘર પર કાર્યવાહી કરવા પહોંચી હતી.
પંજાબ પોલીસ કુમાર વિશ્વાસના ઘરે ધામા નાખ્યા
કાર્યવાહી કરવા માટે પહોંચી પોલીસ
ચૂંટણી ટાણે આપ્યા હતા મોટા નિવેદનો
પંજાબ પોલીસ બુધવારે સવારે કવિ તથા આપના બળવાખોર નેતા ડો. કુમાર વિશ્વાસના ઘર પર કાર્યવાહી કરવા પહોંચી હતી. તેના પર કુમાર વિશ્વાસ કેજરીવાલ પર ટાર્ગેટ કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ચેતવણી આપી દીધી હતી.
सुबह-सुबह पंजाब पुलिस द्वार पर पधारी है।एक समय, मेरे द्वारा ही पार्टी में शामिल कराए गए @BhagwantMann को आगाह कर रहा हूँ कि तुम, दिल्ली में बैठे जिस आदमी को, पंजाब के लोगों की दी हुई ताक़त से खेलने दे रहे हो वो एक दिन तुम्हें व पंजाब को भी धोखा देगा।देश मेरी चेतावनी याद रखे🙏🇮🇳 pic.twitter.com/yDymGxL1gi
કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને લખ્યું છે, સવાર સવારમાં પંજાબ પોલીસ દ્વાર પર પધાર્યા છે. એક સમયે, મારા દ્વારા જ પાર્ટીમાં સામેલ કરવામાં આવેલા ભગવંત માનને ચેતવણી આપી રહ્યો છું કે, તમે, દિલ્હીમાં બેઠેલા જે આદમીનો, પંજાબના લોકોએ આપેલી તાકાત સાથે રમી રહ્યા છો, તે એક દિવસ તમને અને પંજાબને પણ છેતરશે. દેશ મારી ચેતવણીને યાદ રાખશે.
ચૂંટણી સમયે કુમાર વિશ્વાસે આપ્યું હતું આપ વિરુદ્ધ નિવેદન
પંજાબ ચૂંટણી દરમિયાન કુમાર વિશ્વાસે કેટલાય નિવેદનો કર્યા હતા અને પાર્ટી વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને ચર્ચામાં રહ્યા હતા, જેનાથી ભારે હોબાળો મચ્યો હતો. તેમણે આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે, તેમણે દેશને તોડવાની વાત કરી હતી. તેમણે કેજરીવાલ પાસેથી તેના પર જવાબ માગ્યો હતો. જો કે, કેજરીવાલે તેમના પર વળતો જવાબ આપતા સ્વિટ આતંકી કહ્યું હતું, જેને લોકોને સ્કૂલ અને હોસ્પિટલો ખોલી આપી છે.
કુમાર વિશ્વાસ પહેલા ભાજપ નેતાઓ પર નોંધાયા હતા કેસ
પંજાબ પોલિસ તરફથી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજી કરનારા નેતાઓ વિરુદ્ધ સતત કેસ નોંધાઈ રહ્યા છે. કુમાર વિશ્વાસ પહેલા દિલ્હી ભાજપ નેતા તેજિંદર બગ્ગા, નવીન કુમાર જિંદલ અને પ્રીતિ ગાંધી પર કેસ નોંધાઈ ચુક્યા છે.