પંજાબનાં ગુરૂદાસપુર જિલ્લાનાં બટાલા સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે. ઉપરાંત આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાં હોવાંની પણ આશંકા સેવાઇ રહી છે. આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં છે અને અંતે આ આ આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે.
અંદાજે ફેક્ટરીની બે બિલ્ડીંગમાં અંદાજે 50 લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી હતી. મહત્વનું છે કે આ બ્લાસ્ટ થતાં જ આસપાસનાં તમામ વિસ્તારોનાં લોકો આ અવાજ સાંભળતા જ ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ દુર્ઘટનામાં પંજાબ ગૂરૂદાસપુરમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનામાં CMએ સહાયની જાહેરાત કરી છે. મૃતકનાં પરિવારોને 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
Deeply anguished to learn of the loss of lives due to the blast in the firecracker factory in Batala. Rescue operations are underway with the DC & SSP heading the relief efforts.
જો કે ઘટનાસ્થળ પર સ્થાનીય પ્રશાસન સહિત પોલીસ જવાનનો કાફલો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે આવી ગયો હતો. આ ઘાયલોને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં બચાવ ટીમ દ્વારા આ ફસાયેલા લોકોને મદદ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી હતી.
Gurdaspur: Fire breaks out at a fire-crackers factory in Batala; fire tenders present at the spot. More details awaited. #Punjabpic.twitter.com/bp5P5Xq88y
તાજેતરની જાણકારી અનુસાર, ધૂમાડો તેજ થવાને કારણે લોકોને બહાર બિલ્ડીંગમાંથી નીકાળવામાં મુશ્કેલી થઇ રહી હતી. આસપાસનાં લોકો પણ આ બ્લાસ્ટથી પ્રભાવિત થયાં છે. જે સમયે આ દુર્ઘટના ઘટી હતી તે સમયે બપોરનાં અંદાજે ચાર વાગ્યા હતાં. બુધવારનાં રોજ આ દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાંની આશંકા સેવવામાં આવી હતી. જો કે એ પણ સ્પષ્ટ નથી થઇ શકતું કે ફેક્ટરી માન્ય હતી કે નહીં. જો ફેક્ટરી માન્ય હતી તો તેમાં કેવી રીતે સુરક્ષાનાં ધોરણો અપનાવવામાં આવ્યાં.