પંજાબમાં રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારો પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે લાડ્ડ મગાવી રાખ્યા છે. એક્ઝિટ પોલના આકલન પર પાર્ટીઓમાં ખુશીની લહેર દોડી રહી છે.
પાંચ રાજ્યોની ચૂંટણીનું આવતી કાલે રિઝલ્ટ
પરિણામ પહેલા પાર્ટીઓમાં ખુશીની લહેર
ઉમેદવારોએ આપ્યા મિઠાઈના ઓર્ડર
પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત 10 માર્ચના રોજ થવાની છે. રિઝલ્ટ પહેલા સોમવારની સાંજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. અમુક એક્ઝિટ પોલ અને અમુક ઉમેદવારોએ ખુદના આકલના પર પંજાબમાં રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારો પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામ માટે લાડ્ડ મગાવી રાખ્યા છે.
એક્ઝિટ પોલના પરિણામોને લઈને યુપીમાં ભાજપ તો વળી પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહી બન્યા છે. કેટલાય એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપ અને પંજાબમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત આપી રહ્યા છે. અમુકમાં ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપને લીડ મળવાની સંભાવના જણાવી છે.
યુપીમાં ભાજપને મળી રહ્યો છે બહુમત
સીએનએન ન્યૂઝ 18, ટાઈમ્સ નાઉ, રિપબ્લિક ટીવી અને ન્યૂઝ એક્સ ચેનલના એક્ઝિટ પોલ અનુસાર યુપીની 403 સીટોમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએને 326થી 211ની વચ્ચે તો વળી સમાજવાદી પાર્ટી ગઠબંધનને 160થી 71 સીટો મળવાનું અનુમાન છે.
પંજાબમાં બહુમત મળવાના અણસાર
તો વળી પંજાબ એક્ઝિટ પોલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આપની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. ઈંડિયા ટુડેના એક્ઝિટ પોલમાં 117 સભ્યોવાળી પંજાબ વિધાનસભામાં આપને 76-90 સીટો મળવાનું અનુમાન જતાવી રહ્યા છે.
અમુક એક્ઝિટ પોલમાં પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાનું અનુમાન પણ લગાવી રહ્યા છે, જે એકમાત્ર ચૂંટણી રાજ્ય છે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે આપને સ્પષ્ટ બહુમત મળવાની સંભાવના છે. ન્યૂઝ 24 ટુડેના ચાણક્યે પંજાબમાં આપના પક્ષમાં લહેર હોવાનું અનુમાન જતાવ્યું છે અને તેને 100 સીટો મળવાની સંભાવના જતાવી છે, જેમાં દશ સીટ વધુ ઓછી થઈ શકે છે.
પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સત્તા
ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 43 અને ઉત્તરાખંડમાં કોંગ્રેસને 24 સીટો મળવાનું અનુમાન છે. અહીં ઉલ્લેખનીય છે કે, ચૂંટણી વાળા પાંચ રાજ્યોમાંથી ચારમાં ભાજપની સત્તા છે અને આ તમામ રાજ્યોમાં આવતી કાલે એટલે કે, 10 માર્ચે મતગણતરી થવાની છે.