પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા.જેમાં સફાઈ કર્મીઓને નિયમિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે
કપાસના પાકના નુકસાન પર રાહત રકમ વધારાઈ
4587 સફાઈ કર્મચારીઓને કાયમી કરાયા
પાણીના બિલો માફ કરવાનો નિર્ણય લીધો છે.
#PunjabCabinet led by CM @CharanjitChanni gave the approval to regularize services of Safai Sewaks & Sewermen working on the contract basis in ULBs before Cabinet’s decision on June 18, 2021. This decision would benefit 4587 employees.https://t.co/zrSb2ynIz3
શહેરી નાગરિક વિભાગમાં કામ કરતા 4587 સફાઈ કર્મચારીઓને કાયમી કરાયા
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની અધ્યક્ષતામાં મળેલી તાજેતરમાં કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં શહેરી નાગરિક વિભાગમાં કામ કરતા 4 હજાર 587 કરાર આધારિત કર્મચારીઓને 'સફાઈ સેવકો' અને ગટર કર્મચારીઓને નિયમિત કરવાના નિર્ણયનો લાભ મળશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કર્મચારીઓને નિયમિત કરવા સાથે સરકાર પ્રોબેશનના પ્રથમ ત્રણ વર્ષમાં લગભગ 46 કરોડ રૂપિયા ખર્ચ કરશે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રોબેશનના સમયગાળા પછી દર વર્ષે પગારમાં વધારો અને અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે, જેનો ખર્ચ શહેરી મંડળ ઉઠાવશે.
કપાસના પાકના નુકસાન પર રાહત રકમ વધારાઈ
આ સિવાય કેબિનેટે કપાસના પાકના નુકસાન પર રાહત રકમ 12,000 રૂપિયાથી વધારીને 17,000 રૂપિયા પ્રતિ એકર કરવાની મંજૂરી આપી છે. સરકારી નિવેદન અનુસાર, આ રાહત રકમ 1 જૂન, 2021થી લાગુ થશે.
કેબિનેટે રાજ્યના પાણીના બિલો માફ કરવાનો નિર્ણય લીધો છે.
કેબિનેટે રાજ્યના 500 કરોડ રૂપિયાના પાણીના બિલો માફ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર ગ્રામીણ ગ્રાહકોના રૂ. 256.97 કરોડ અને શહેરી ગ્રાહકોના રૂ. 17.98 કરોડના બિલ માફ કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયતો અને સમિતિઓ દ્વારા ચલાવવામાં આવતી પાણી પુરવઠા યોજનાઓના 224.55 કરોડ રૂપિયા પણ માફ કરવામાં આવશે.