ભગવંત માન કેબિનેટનું ગઠન 19 માર્ચે રાજભવનમાં થયું હતું. રાજ્યપાલે 10 ધારાસભ્યોને મિનિસ્ટર પદના શપથ લેવડાવ્યા હતા.
પંજાબમાં આપની સરકાર
ભગવંત માન કેબિનેટમાં આ મંત્રીનો સમાવેશ
આજે રાજ્યપાલે લેવડાવ્યા શપથ
પંજાબની ચૂંટણીમાં પ્રચંડ બહુમત સાથે જીત મેળવી સત્તાના સુકાન સંભાળનારી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત માને 16 માર્ચના રોજ શહીદ ભગત સિંહના ગામમાં શપથગ્રહણ કર્યા હતા. ભગવંત માને પોતાનું મંત્રીમંડળ ગઠન કરી લીધું છે. ભગવંત માન કેબિનેટનું ગઠન 19 માર્ચે રાજભવનમાં થયું હતું. રાજ્યપાલે 10 ધારાસભ્યોને મિનિસ્ટર પદના શપથ લેવડાવ્યા હતા.
Chandigarh | AAP leaders Brahm Shankar Jimpa and Harjot Singh Bains take oath as ministers in the Punjab cabinet. pic.twitter.com/tnnD9yYk5V
ભગવંત માને હોળીની સાંજે ટ્વિટ કરીને પોતાના મંત્રીઓના નામની જાહેરાત કરી હતી. પહેલી વાર મુખ્યમંત્રી બનેલા ભગવંત માને નવા મંત્રીમંડળમાં દરેક વર્ગ અને ક્ષેત્રને સાધવાની કોશિશ કરી છે. તેમની કેબિનેટમાં દલિત, મહિલા અને હિન્દુ સમુદાયના ધારાસભ્યોને પણ જગ્યા આપવામાં આવી છે. કેબિનેટ ગઠનમાં માઝા અને માલવા વિસ્તારનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
Chandigarh | AAP leaders Lal Chand Kataruchak, Gurmeet Singh Meet Hayer, Kuldeep Singh Dhaliwal, Laljit Singh Bhullar take oath as ministers in the Punjab cabinet. pic.twitter.com/RNzhw0PpYO
શપથગ્રહણ બાદ તમામ મંત્રીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત કરી હતી. મોટા સમાચાર એ છે કે, કેબિનેટની પ્રથમ બેઠક બપોરે બે વાગ્યે થશે. જેમાં સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે .