સંસદમાં પાસ 3 કૃષિ બિલનાં વિરોધમાં આજે પંજાબ અને હરિયાણા સહિત દેશભરમાં ખેડૂતોએ બંદનું એલાન આપ્યું છે. જેના સમર્થનમાં કોંગ્રેસ સહિત અનેક રાજનીતિક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. પંજાબમાં ગુરુવારે ખેડૂતો અમૃતસર, ફિરોજપુર અને નાભામાં રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. ખડૂતોના આંદોલનને જોતા રેલવે 20 ટ્રેનો શનિવાર સુધીમાં રદ્દ કરી દેવામાં આવી હતી. પંજાબ અને હરિયાણામાં ટ્રેકોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ત્યારે સીઆરપીએફ અને પોલીસના જવાનોની સાથે સિવિલ સુરક્ષાકર્મીઓ તૈનાત છે.
20 ટ્રેનો શનિવાર સુધીમાં રદ્દ કરી દેવામાં આવી
પીયૂમાં આજે થનારી પરિક્ષા ટળી છે
કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીએ બંધને સમર્થન આપ્યું છે
આજે કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં પોલીસ અલર્ટ પર છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટીએ બંધને સમર્થન આપ્યું છે. પંજાબ, હરિયાણામાં સજ્જડ બંધ છે. પંજાબ, હરિયાણાના 31થી વધુ ખેડૂત સંગઠનોએ બંધને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે તમામ સ્થળે સિવિલ ડ્રેસમાં પોલીસ રહેશે. તમામ આંદોલનની વીડિયોગ્રાફિ કરવામાં આવશે.
પંજાબ, હરિયાણામાં ખેડૂતના વિરોધને જોતા દિલ્હી પોલીસ પણ રાજ્યોની સરહદે અલર્ટ છે. ગુજરાતમાં પણ ખેડૂતો તાલુકા કક્ષાએ આવેદન આપશે. આ બંધને પગલે પંજાબમાં રેલવે ટ્રેક પર પ્રદર્શન જોતા 26 સપ્ટેમ્બર સુધી પંજાબ તરફથી જનારી અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. અનેક ટ્રેનોને અંબાલા કેન્ટ, સહારનપુર અને દિલ્હી સ્ટેશન પર જ ટર્મિનેટ કરવામાં આવી રહી છે. અંબાલાથી લુધિયાણા કે પછી ચંદીગઢથી અંબાલાના રેલ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. 2 ડઝન ટ્રેનો રદ્દ કરાઈ છે.
Punjab: Kisan Mazdoor Sangharsh Committee continues their 'rail roko' agitation in Amritsar, in protest against the #FarmBills.
The Committee is holding the 'rail roko' agitation from September 24 to 26 against the Bills. pic.twitter.com/NFfSCcWuO5
પંજાબ યુનિવર્સીટીમાં શુક્રવારે થનારી પરીક્ષા મોકુફ રખાઈ છે. હવે આ પરિક્ષા 14 ઓક્ટોમ્બર પહેલા નક્કી કરેલા સમય અનુસાર થશે. યુનિવર્સિટીએ આ આંદોલનને પગલે વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફને સમસ્યા આવી શકે છે જેને કારણે તેમણે પરિક્ષા મોકુફ રાખી છ. યુપીએસસી નવી દિલ્હી દ્વારા 4 ઓક્ટોમ્બરે સ્પર્ધાત્મક પરિક્ષા કરવામાં આવશે. જેને કારણે 4 ઓક્ટોબરે થનારી પરિક્ષા પણ મોકુફ રખાઈ છે હવે આ 13 ઓક્ટોમ્બરે થઈ શકે છે.