નોરતાના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ વિનમ્ર થાય છે અને જીવનમાં અપાર ઉત્સાહની વૃદ્ધી થાય છે.
નોરતાના ત્રીજા દિવસે થાય છે દેવી ચંદ્રઘંટાની પૂજા
માતાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ વિનમ્ર થાય છે
જાણો કેવીરીતે કરશો માં ચંદ્રઘંટાની પૂજા
ત્રીજા નોરતે કરો દેવી ચંદ્રઘંટાની પૂજા
આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રીના ત્રીજા દિવસે એટલેકે 28 સપ્ટેમ્બરે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાનુ વિધાન છે. આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય અને વિનમ્ર થાય છે. આ સાથે તેમના જીવનમાં અપાર ખુશીની વૃદ્ધી થાય છે.
દેવી ચંદ્રઘંટાનું અલૌકિક સ્વરૂપ
શાસ્ત્રો મુજબ માતા ચંદ્રઘંટાનો રંગ સોનાની જેમ તેજવાન છે. માતાને ત્રણ આંખો અને દસ ભુજાઓ છે. જેમના દરેક હાથમાં કમળનુ ફૂલ, ગદા, બાણ, ધનુષ, ત્રિશુળ, ખડગ, ચક્ર, ખપ્પર અને અગ્નિ સુશોભિત છે. માં ચંદ્રઘંટા વાઘ પર બેસીને આવે છે અને દરેક સમયે યુદ્ધ માટે તૈયાર રહે છે.
દેવી ચંદ્રઘંટા પૂજા વિધિ
નોરતાના ત્રીજા દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા સ્થળની સફાઈ કરો. પછી નિત્યપૂજાની સાથે ઓમ દેવી ચંદ્રઘંટાયૈ નમ: મંત્રનો જાપ કરો. ત્યારબાદ માતાને ગંધ, ફૂલ, ધૂપ, અક્ષત, સિંદૂર વગેરે અર્પણ કરો અને દૂધમાંથી બનાવેલી મિઠાઈનો ભોગ ધરાવો.
પૂજા મહત્વ
માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી સાધકના તમામ દુ:ખ-દર્દ દૂર થાય છે અને તેઓ નિર્ભય અને વીર બને છે. દેવીની આરાધના કરવાથી વ્યક્તિના મુખ, આંખો અને કાયામાં સકારાત્મક વિકાસ થાય છે. આ સાથે બુદ્ધી અને જ્ઞાનમાં વધારો થાય છે.