સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મામલામાં સુનાવણી કરતા આદેશ આપ્યો હતો કે, અવિભાજીત હિન્દુ પરિવારના પિતા અથવા અન્ય વ્યક્તિ કોઈ પૈતૃત સંપત્તિને ફક્ત સારા ઉદ્દેશ્યથી જ ગિફ્ટ તરીકે આપી શકે છે.
સંયુક્ત પરિવારની સંપત્તિ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો
કોર્ટે આપ્યો આ મોટો ચુકાદો
પૈતૃક સંપત્તિ ગિફ્ટમાં આપવા પર વાત કહી
સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મામલામાં સુનાવણી કરતા આદેશ આપ્યો હતો કે, અવિભાજીત હિન્દુ પરિવારના પિતા અથવા અન્ય વ્યક્તિ કોઈ પૈતૃક સંપત્તિને ફક્ત સારા ઉદ્દેશ્યથી જ ગિફ્ટ તરીકે આપી શકે છે. કોર્ટે કહ્યું કે, સારા ઉદ્દેશ્યથી કોઈ દાનધર્મ માટે આપેલી ગિફ્ટ છે.
કોર્ટે કહી આ વાત
જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની પીઠે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, આ માન્ય પરંપરા છે કે અવિભાજીત હિન્દુ પરિવારના પિતા અથવા કોઈ અન્ય વ્યક્તિ પોતાની પૈતૃક સંપત્તિને ગિફ્ટ તરીકે ફક્ત ધાર્મિક અથવા અન્ય સામાજિક કાર્યો માટે ગિફ્ટ તરીકે આપી શકે છે .
આ ત્રણ કારણો આપ્યા
વડી અદાલતે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, પ્રેમ અથવા લાગણીમાં આવીને કોઈ ગિફ્ટ આપવી અવિભાજીત હિન્દુ પરિવારની પૈતૃક સંપત્તિને સારા ઉદ્દેશ્યથી ગિફ્ટ તરીકે આપવા અંતર્ગત નહીં આવે.કોર્ટે કહ્યું કે, અવિભાજીત હિન્દુ સંયુક્ત પરિવાર દ્વારા ત્રણ પરિસ્થિતિઓમાં જ સંપત્તિને હટાવી શકાય છે. 1 કાયદાકીય કારણોથી, 2 સંપત્તિના લાભ માટે અને 3. પરિવારના તમામ સભ્યોની સહમતીથી. કોર્ટે કહ્યું કે, જો સંયુક્ત પરિવારની સંપત્તિને પરિવારના તમામ સભ્યોની રાજીખુશીથી કોઈને પણ આપવામા આવે તો, તે માન્ય કાયદાકીય પરંપરાનું ઉલ્લંઘન છે.
આ કેસમાં કરી હતી સુનાવણી
કોર્ટ કેસી ચંદ્રપા ગૌડાની અરજી પર વિચાર કરી રહી હતી, જેમાં તેમણે પોતાના પિતા કેએસ ચિન્ના ગૌડા પર પોતાની એક તૃત્યાંશ સંપત્તિ એક છોકરીને ગિફ્ટ તરીકે આપવા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. વિવાદિત સંપત્તિ સંયુક્ત પરિવારની સંપત્તિ હતી.
કોર્ટે ચુકાદામાં કહ્યું કે, કારણ કે, લાભાર્થી પરિવારના સભ્યો નથી, એટલા માટે તેમના નામ પર સંપત્તિનું હસ્તાંતરણ કાયદાકીય રીતે કાયદેસર નથી. નિચલી કોર્ટ સંપત્તિ ગિફ્ટમાં આપવાના નિર્ણય કર્યો હતો, પણ અપીલ કોર્ટમાં તેને પલ્ટી દેવામાં આવ્યો અને તેને ગેરકાયદેસર ગણાવ્યો હતો.