જો તમે પણ તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને કોઈ બીજી કંપનીને પોર્ટ કરાવવાનું મન બનાવી રહ્યા છો તો અમુક જરૂરી બાબતો પહેલા જ જાણી લો.
પ્રીમિયમ સહીત બધી જાણકારીઓ પ્રાપ્ત કરી લો
કેટલા દિવસમાં પોર્ટ થાય છે પોલિસી?
કઈ સમસ્યાઓને કારણે કંપની બદલાવવી જોઈએ?
જો તમે પણ તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીને કોઈ બીજી કંપનીને પોર્ટ કરાવવાનું મન બનાવી રહ્યા છો તો અમુક જરૂરી બાબતો પહેલા જ જાણી લો. આ સંબંધિત અનુક નિયમોમાં પણ બદલાવ થયા છે. વીમા પોલીસીમાં હવે પોર્ટ કરાવવાની સુવિધા આવી ગઈ છે. એટલે જો તમે કોઈ વીમા કંપનીની સેવાઓથી સંતુષ્ટ નથી, તો સરળતાથી બીજી કંપનીમાં પોતાની પોલિસીને પોર્ટ કરાવી શકો છો. વીમા કંપની બદલવાની આ પ્રક્રિયાને પોર્ટ કરવું કહે છે.
પ્રીમિયમ સહીત બધી જાણકારીઓ પ્રાપ્ત કરી લો
પોતાની સ્વાસ્થ્ય વીમા પોલિસીને પોર્ટ કરાવો છો, તો નવી કંપની તમારા પ્રીમિયમના દરોને નક્કી કરવા માટે સ્વતંત્ર હોય છે. પોર્ટ દરમિયાન જો તમે ઉચ્ચ જોખમવાળી શ્રેણીમાં છો, તો બની શકે છે કે નવી કંપની જૂની કંપનીની તુલનામાં તમારી પાસે અધિક પ્રીમિયમ વસૂલ કરે. આવામાં પોર્ટ કરાવતા પહેલા તમારે આ વિષે જાણકારી લઇ લેવી જોઈએ તથા તમારે એક નહિ પરંતુ ત્રણ-ચાર વીમા કંપનીઓના પ્લાનની તમામ જાણકારી એકત્ર કરવી જોઈએ. ત્યાર બાદ જે પ્લાનથી તમે સંતુષ્ટ હોવ, તેમાં પોતાની સ્વાસ્થ્ય વીમા પોલિસીને પોર્ટ કરાવી લો.
નવી કંપનીના કવરેજ, તેની લિમિટ તથા સબ-લિમિટ સમજો
ઘણા લોકો ઇન્શ્યોરન્સ પોલિસી એટલા માટે પોર્ટ કરાવે છે કે બીજી કંપની ઓછું પ્રીમિયમ ઓફર કરી રહી છે. નવી કંપનીના કવરેજ, તેની લિમિટ તથા સબ-લિમિટ સમજો. આ દાવો કરતા સમયે, તકલીફોથી બચાવશે. આ સાથે જ અહી પોલિસી બદલાતા સમયે એક વધારે વાતનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે કે તમે પોતાની પોલિસી જે નવી કંપનીની ઓફર જોઇને બદલી રહ્યા છો, તો આ પહેલા હજુ બીજી કંપનીઓની ઓફર્સની તુલના કરો.
કેટલા દિવસમાં પોર્ટ થાય છે પોલિસી?
જો તમે તમારી સ્વાસ્થ્ય વીમા યોજનાને પોર્ટ કરવા માંગો છો, તો તમારે સ્વાસ્થ્ય વીમા યોજનાના નવીનીકરણથી ઓછામાં ઓછા 45 દિવસ પહેલા પ્રક્રિયા શરુ કરવી પડશે. તમારે પોતાની વર્તમાન વીમા કંપનીને પોલિસી પોર્ટ કરાવવાના સંબંધમાં સૂચના આપવી પડશે. તમારે નવી વીમા કંપની વિષે જાણકારી મેળવવી પડશે. તમારે પોતાની અવધિને બ્રેક કર્યા વગર જ પોલિસીનું નવીનીકરણ કરવું પડશે, આ માટે આ પ્રક્રિયા શરુ થવા પર 30 દિવસની અનુગ્રહ અવધિ મળે છે.