પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ સુરક્ષાબળે આંતકીઓ વિરૂદ્ધ અભિયાન હાથ ધર્યુ છે અને ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી તેજ કરવામાં આવી છે ચાર મહિનામાં કુલ 69 આંતકીનો ખાતમો કરવામાં આવ્યો છે. જોઇએ આતંકીઓના ખાત્માનો વિશેષ અહેવાલ.
પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ સુરક્ષાબળે આંતકીઓ વિરૂદ્ધ અભિયાન હાથ ધર્યુ છે. સુરક્ષાબળના આતંકીઓ વિરૂદ્ધ અભિયાન બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો ઘાટીમાં કોઈ કમાન્ડર બનાવા માટે તૈયાર નથી.
લેફ્ટનન્ટ જનરલ કે.એસ.ધિલ્લોને કહ્યું કે, ઘાટીમાં આતંકવાદ સામે સેનાએ અભિયાન હાથ ધર્યુ છે. જૈશ એ મોહમ્મદ વિરૂદ્ધ અમે જવાબી કાર્યવાહી હાથ ધરી છે. જેથી એવી પરિસ્થિતિ સામે આવી છે કે કોઈ પણ આતંકી સંગઠનનું નેતૃત્વ કરવા માટે તૈયાર નથી.
પુલવામા હુમલા બાદ ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરી બાદ સેનાએ ઘાટીમાંથી 41 આતંકીઓનો ખાતમો બોલાવ્યો છે. જેમાંથી જૈશ એ મોહમ્મદના 25 આતંકીઓ પણ સમાવેશ છે.
ચાર મહિનામાં કુલ 69 આંતકીનો ખાતમો કરવામાં આવ્યો છે. ઠાર મારવામાં આવેલા આતંકીઓમાં 13 પાકિસ્તાની આતંકીઓનો પણ સમાવેશ છે. તો આતંકીઓ વિરૂદ્ધની અલગ અલગ કાર્યવાહીમાં સેનાએ 12 આતંકીઓની પણ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં 272 આતંકીઓનો ઘાટીમાંથી સફાયો બોલાવવામાં આવ્યો છે.