અમરિંદર સિંહ જ 'કેપ્ટન' રહેશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે
પ્રિયંકા ગાંધી આજે નવજોત સિદ્ધુ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને મળ્યા
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી અટકળો વચ્ચે આજનો દિવસ ઘણો સારો સાબિત થઈ શકે છે. પ્રિયંકા ગાંધીના સક્રિય થયા બાદ ઘણા સારા અને મોટા સમાચાર આવી શકે છે. પ્રિયંકા ગાંધી અને નવજોત સિંહ સિદ્ધુની આજે પહેલી મુલાકાત બાદ ઘણી બેઠકો થઈ. ત્યારબવાદ જ પ્રિયંકા ગાંધી પોતાના ભાઈ રાહુલ ગાંધી અને માતા સોનિયા ગાંધીને મળ્યા. ગઈ કાલે જ્યારે રાહુલ ગાંધીની નવજોત સિંહ સાથે મુલાકાત ના થઈ શકી તો ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. પંજાબમાં CM કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સાથે ઘણા દિવસથી તણાવ ચાલુ છે.
એક પછી એક ઘણી મુલાકાતો
સૌથી પહેલા પ્રિયંકા ગાંધીએ આજે નવજોત સિંહ સિદ્ધુ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તે રાહુલ ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ ફરી પ્રિયંકા ગાંધી નવજોત સિંહને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ પ્રિયંકા તેમની માતા સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા અને ત્યારબાદ ફરી તે તેમના ભાઈ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. આટલું થયા બાદ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધીને મળવા માટે ગયા હતા. એક દિવસમાં આટલી બધી મુલાકાતો બાદ હવે એવું ચર્ચાઇ રહ્યું છે કે સિદ્ધુ એન અમરિન્દરની લડાઈમાં જલ્દી નિર્ણય આવી શકે છે.
અમરિંદર સિંહ જ 'કેપ્ટન' રહેશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે
પંજાબમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ જ `કેપ્ટન' રહેશે તેવા સ્પષ્ટ સંકેત મળી ગયા છે, નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર વચ્ચે ઊભા થયેલા વિવાદને ખતમ કરવા માટે 3 સભ્યોની કમિટીએ સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. પંજાબ કોંગ્રેસનો આંતરકલહ શમાવવાની કવાયત હવે પૂર્ણતા તરફ છે, કેપ્ટન અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચેના વિવાદને સમાપ્ત કરવા માટે જે રચાયેલી કમિટીના મેમ્બરે સોનિયા ગાંધીને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.