કોંગ્રેસ પાર્ટીમાં લોકસભા ચૂંટણી પછીથી અધ્યક્ષ પદને લઈને ખૂબ ચર્ચા થઇ રહી છે. પહેલા રાહુલ ગાંધીએ રાજીનામું આપીને કહ્યું ગાંધી પરિવારની બહારનો વ્યક્તિ અધ્યક્ષ બને પણ સોનિયા ગાંધીને જ કમાન સોંપવામાં આવી. હવે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધીને જ ફરીથી અધ્યક્ષ બનાવવાની ચર્ચા છે ત્યાં પ્રિયંકાએ નિવેદન આપી દીધું કે તેમને ગાંધી પરિવાર સિવાયના કોઈ અધ્યક્ષ સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી અને તે રાહુલ ગાંધીની તે વાતથી સહમત છે કે ગાંધી પરિવાર સિવાયનો અધ્યક્ષ હોવો જોઈએ.
પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું સમર્થન
'ઇન્ડિયા ટુર્મારો' નામક પુસ્તકમાં કરાયો દાવો
ગયા વર્ષે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદથી આપ્યું હતું રાજીનામું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈ અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તે વાતનું સમર્થન કર્યું છે જેમાં રાહુલે ગયા વર્ષે અધ્યક્ષ પદથી રાજીનામું આપણીને નેહરૂ-ગાંધી પરિવારના બહારના કોઈ વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની અપીલ કરી હતી. આ દાવો એક પુસ્તક 'ઇન્ડિયા ટુર્મારો'માં કરવામાં આવ્યો છે.
પ્રિયંકા ગાંધીના નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરુ
આ પુસ્તકને આપેલ એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 'રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આપણામાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ ન હોવો જોઈએ અને હું તેમની આ વાતથી સહમત છું, મને લાગે છે કે પાર્ટીએ પોતાના રસ્તાની તલાશ કરવાની જરૂર છે.' પ્રિયંકા ગાંધીએ તેમ પણ કહ્યું કે નેહરૂ ગાંધી પરિવારની બહાર કોઈ અધ્યક્ષ સાથે કામ કરવામાં તેમને કોઈ વાંધો નથી.
ગયા વર્ષે જ રાહુલ ગાંધીએ આપ્યું હતું રાજીનામું
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું હતું. ગતવર્ષ 10મી ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલે કહ્યું હતું કે નવો અધ્યક્ષ તેમને પરિવારથી બહારનો કોઈ હોવો જોઈએ. જોકે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાહુલની આ વાતને નકારીને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને ફરીથી પાર્ટીની કમાન આપી દીધી હતી.
હવે પ્રિયંકા ગાંધીના આ નિવેદન બાદ ફરીવાર સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું હવે કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવારના બહારનું કોઈ વ્યક્તિ હશે ? જોકે છેલ્લા કે વર્ષથી તો કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને જ પાર્ટી અધ્યક્ષ બનાવી દેવા માંગ કરી રહ્યા છે.