ખાતર, કપડા, રસાયણ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલયો અંતર્ગત 60 કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ખાનગીકરણ અથવા તો બંધ કરવા માટેની લિસ્ટ તૈયાર થવાની સંભવાના છે.
મોદી સરકાર કરી રહી છે તૈયારી
આ કંપનીઓનું કરશે ખાનગીકરણ
અમુક કંપનીઓ ખાનગીકરણ અથવા બંધ થઈ જશે
ખાતર, કપડા, રસાયણ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલયો અંતર્ગત 60 કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ખાનગીકરણ અથવા તો બંધ કરવા માટેની લિસ્ટ તૈયાર થવાની સંભવાના છે. તેના માટે સરકારે બિન રણનીતિક ક્ષેત્રોમાં ઉદ્યમ નીતિ લાગૂ કરવાની તૈયારી કરી રહી છે.
અમુક બંધ થઈ જશે, અમુકનું ખાનગીકરણ થશે
આ મામલા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવુ છે કે, બિન રણનીતિક ક્ષેત્રમાં લગભગ 175 સીપીએસઈ છે, જેમાંથી 1/3 અંતત: બંધ થઈ જશે અને બાકીના એકમોનું ખાનગીકરણ કરી દેવામાં આવશે. જ્યારે અમુક બિન લાભકારી કંપનીઓને સાર્વજનિક ક્ષેત્રમાં રાખવામાં આવશે.
હાલમાં આવી કંપનીઓની યાદી તૈયાર થઈ રહી છે
નીતિ આયોગ, સાર્વજનિક ઉદ્યમ વિભાગ અને પ્રશાસનિક મંત્રાલયોના અધિકારીઓનું એક ગ્રુપ આ કંપનીઓની ઓળખાણ કરી રહ્યા છે. જેનું સાર્વજનિક ઉપક્રમ નીતિ અનુસાર ખાનગીકરણ અથવા બંધ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં રણનીતિક ક્ષેત્રને નીતિનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે, સરકારની ચાર વ્યાપક ક્ષેત્રોમાં ન્યૂનત્તમ ઉપસ્થિતિ છે. જ્યારે બાકીનુ ખાનગીકરણ અથવા વિલય અથવા બંધ કરી શકે છે.
ખાતર કંપનીઓ પર નજર
સૂત્રોના જણાવ્યા અનુસાર મદ્રાસ ફર્ટિલાઈઝર્સ અને નેશનલ ફર્ટિલાઈઝર્સ સહિત ખાતર મંત્રાલય અંતર્ગત તમામ નવ સીપીએસઈનું ખાનગીકરણ કરવાની સંભાવના છે. દેશ દ્વારા મોટા પાયે ખાતર આયાતને જોતા સરકારે હાલના વર્ષોમાં ઘરેલૂ ઉત્પાદનને વધારવાની કોશિશ કરી રહ્યું છે અને આ કંપનીઓ ઉત્પાદનો માટે કેપ્ટિવ બજારને જોતા ખાનગી ક્ષેત્ર માટે આકર્ષક હોય છે.
ટેક્સટાઈલ કંપનીઓ પણ ઝપટમાં આવી જશે
કપડા મંત્રાલય અંતર્ગત આવતી સીપીએસઈની વચ્ચે, કેન્દ્ર બીમાર નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશનને બંધ કરવા માટે જશે, જેમાં અપ્રચલિત ટેકનિકવાળી 23 મિલો છે. વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવતી બે વેપારી કંપનીઓ બંધ થશે, કારણ કે તેમના વ્યવસાય વર્ષોથી અવ્યવહારિક થઈ જશે.