PM મોદી દેશમાં કોરોનાની બગડતી સ્થિતિને સુધારવા માટે ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 23 સપ્ટેમ્બરે ચર્ચા કરશે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ હશે.
23 સપ્ટેમ્બરે PM મોદી કરશે બેઠક
PM મોદીની 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાશે બેઠક
કોરોનાની બગડતી સ્થિતિને લઈને કરાશે ચર્ચા
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાના કારણે સંક્રમણની સંખ્યા 53 લાખને પાર થઈ છે ત્યારે જ મોતનો આંક પણ 85 હજારને પાર થઈ ચૂક્યો છે. આ સમયે કોરોનાની સ્થિતિની માહિતી માટે પીએમ મોદી ફરીથી 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાના છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થતી બેઠક 23 સપ્ટેમ્બરે યોજાશે.
અનેક વાર કોરોનાને લઈને થઈ ચૂકી છે બેઠક
PM મોદી કોરોનાની બગડતી સ્થિતિને લઈને ઉત્તરપ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થશે. આ પહેલાં પણ પીએમ મોદી મહામારીને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી ચૂક્યા છે.
16 અને 17 જૂને પણ યોજાઈ હતી બેઠક
આ પહેલાં પીએમ મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ પર મુખ્યમંત્રીઓ સાથે 16 અને 17 જૂને બેઠક કરી હતી. 16 જૂને થયેલી બેઠકમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ, ચંડીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પોંડિચેરી, અરુણાચલ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર, દાદરા નગર હવેલી અને દીવ, દમણ અને સિક્કિમ તથા લક્ષ્યદ્વીપના મુખ્યમંત્રીઓ પણ સામેલ રહ્યા હતા. તો 17 જૂનની બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, જમ્મૂ કાશ્મીર, તેલંગાણા અને ઓરિસ્સાના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.