ST તંત્ર તરફથી પણ બસોનું અલગથી આયોજન કરવામાં આવ્યુ: હસમુખ પટેલ
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર ઇશ્યુ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 7 સેન્ટર પર પરીક્ષા લેવામાં આવશે. ત્યારે LRD ભરતી મામલે IPS હસમુખ પટેલની પત્રકાર પરિષદ યોજી હતી અને પરીક્ષાના આયોજન વિશે ઉમેદવારોને જાણકારી આપી હતી.
શિક્ષણ વિભાગના અધીકારીઓની તાલીમ
લોકરક્ષક દળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે LRDની લેખિત પરીક્ષા માટે શિક્ષણ વિભાગના અધીકારીઓની તાલીમ કરી દેવાઈમાં આવી છે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે જેને લીધે મોટા કેન્દ્રો પર જ પરીક્ષાનું આયોજન કરાયુ છે.
વન રક્ષક જેવી ગેરરીતિનું ઉમેદવારો પણ ધ્યાન રાખે
વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે વન રક્ષકની પરીક્ષાની ગેરરિતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. તેથી ઉનવામાં ગેરરીતિ થઈ એવી ઘટના ન બને તે માટે ઉમેદવારોને જાગૃત રહેવા કહું છું સમગ્ર પોલીસ તંત્ર ગેરરિતી અટકાવવાના પ્રયત્નમાં લાગ્યુ છે તેથી બહુ સારી રીતે પરીક્ષા થશે તેનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો
7 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન
નાના સેન્ટરો પર પરીક્ષાનું આયોજન અઘરૂ થાય છે. ગેરરીતિ ટાળવા માટે જે થઇ શકે તે બોર્ડની પ્રાથમિકતા રહેશે. આથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, આણંદમાં સેન્ટરો ફળવાયા છે.
ST તંત્ર વધારે બસો મૂકશે
હસમુખ પટેલે એ પણ જણાવ્યું હતું કે ST વિભાગ તરફથી પણ સામેથી ફોન આવ્યો હતો અને આયોજન વિશે ચર્ચા કરી હતી. ST તંત્ર તરફથી પણ બસોનું અલગથી આયોજન કરવામાં આવ્યુ છે. ક્યા જિલ્લામાંથી કેટલા ઉમેદવારો કયા જિલ્લામાં જશે તેની માહિતી એસ ટી વિભાગને આપી દેવામાં આવી છે. ઉમેદવારોને દુર જવુ પડે છે તેનું દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઉમેદવારોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ
આ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓને પણ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે દૂર આવતા ઉમેદવારો માટે સંસ્થાઓને રહેવા-જમવાની વ્યવસ્થાનું આયોજન કરે જેથી કરીને ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે. ઘણા ઉમેદવારોને પરીક્ષા માટે આગળની રાત્રે પહોંચવું પડશે જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમણે મદદ કરશે.
વર્ગખંડમાં નિરીક્ષક ફોન રાખી નહિ શકે
છેલ્લે તેઓએ લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની તૈયારીના આયોજન અને નિયમો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે 954 કેન્દ્ર પર 2 લાખ 95 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. 20 સેન્ટરના સુધારેલા સરનામાં વેબ સાઇટ પર જાહેર કર્યા છે. શાળામાં મોબાઈલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની પણ જાણકારી આપતા કહ્યું હતું કે શિક્ષકોને સૂચના આપી છે. વર્ગ ખંડમાં નિરીક્ષક ફોન રાખી શકશે નહીં.પીઆઇ કક્ષાના અધિકારી કેન્દ્ર પર તૈનાત કરવામાં આવશે તેમજ મોટાભાગના CCTV ફુટેજનું અમે નિરિક્ષણ કરવાના છીએ તેવી માહિતી પણ ઉમેદવારોને આપી છે
પરિચિતોનો નંબર પાસે ન આવે તેવો પ્રયાસ
કોલલેટર એ રીતે ઇશ્યુ કરવામાં આવ્યા છે જેથી કોઇ પણ ઉમેદવારોના પરિચિતોનો નંબર સાથે ન આવે. એટલે કે એક જિલ્લાના પરિચિતોનો પાસે નંબર ન આવે તે પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી ચોરી થવાની સંભાવના ટાળી શકાય. ઉમેદવારો અને લોકરક્ષક ભરતી બોર્ડનો એક જ ધ્યેય છે કે પરીક્ષા કોઈ પણ વિધ્ન વગર સૂચારુ ઉપે થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરી ઉમેદવારો અને પરીક્ષામાં આયોજનમાં જોડાયેલા તમામને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
હેલ્પલાઇન નંબર
પીએસઆઇમાં પાસ થયેલ હોય પરંતુ લોકરક્ષકના પરિણામમા તેમનું નામ ન હોય તેવા ઉમેદવારોને કોલ લેટર મર્જ કરવાનો રહી ગયો હોય તથા અન્ય કોઇ મુંઝવણ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. 9104654216,8401154217, 7041454218 આ નંબર પર ફોન કરી વિગત મેળવી શકાશે.
કેટલા ઉમેદવારો થયા છે પાસ?
શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.95 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે. તમને જણાવી દઈકે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવી શારીરિક દોડ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં બિન-હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 તેમજ હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.