છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવેદન પર વિવાદ થતાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે કહ્યું હતું કે આરએસએસના કારણે જ હિન્દુઓ અને દેશ સુરક્ષિત છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવેદન પર વિવાદ
પ્રજ્ઞાસિંહ ઠાકુરે કર્યો વળતો પ્રહાર
કોંગ્રેસે કહ્યું - દેશનું અપમાન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને નક્સલવાદીઓ સાથે સરખાવતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવેદન પર વિવાદ સર્જાયો છે.
હવે ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે સીએમ ભૂપેશ બઘેલ પર વળતો પ્રહાર કર્યો છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરે બુધવારે કહ્યું હતું કે આજે આરએસએસના કારણે જ હિન્દુઓ અને દેશ સુરક્ષિત છે.
बकौल प्रज्ञासिंह ठाकुर देश सुरक्षित है तो RSS के कारण! क्या हमारी सीमा पर सभी धर्मों की रेजिमेंट के बहादुर व शहीद सैनिक बुज़दिल व गद्दार हैं? यह पूछने की हिम्मत है आपमें कि 96 सालों में संघ का पंजीयन,बायलॉज,सदस्यता सूची कहाँ है, डर है कहीं आप जैसा हश्र अन्य अतिवादियों का न हो? pic.twitter.com/ax305TQMll
કોંગ્રેસે ભાજપના સાંસદના આ નિવેદનને ભારતીય સેનાનું અપમાન ગણાવ્યું છે. કોંગ્રેસના નેતા કે.કે. મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું- "પ્રજ્ઞાસિંહ સિંહ ઠાકુરના મતે, RSS ના કારણે દેશ સુરક્ષિત છે! શું આપણી સરહદ પર તમામ ધર્મોની રેજિમેન્ટના બહાદુર અને શહીદ સૈનિકો મૂર્ખ અને દેશદ્રોહી છે? તમારી પાસે પૂછવાની હિંમત છે કે 96 વર્ષમાં સંઘની નોંધણી, સભ્યપદ સૂચિ ક્યાં છે, ડર એ વાતનો છે કે ક્યાંક બીજા અતિવાદીઓનીની હાલત તમારાં જેવી ન થાય "
અગાઉ, આરએસએસના વડા મોહન ભાગવતે વીર સાવરકર વિશે કહ્યું હતું કે તેઓ આ દેશમાં સાચા અર્થમાં મહાન વ્યક્તિ હતા, જેમણે રાષ્ટ્રવાદને સર્વોપરી રાખ્યો હતો અને તેઓ હિન્દુત્વને રાષ્ટ્રીયતા માનતા હતા, પરંતુ લોકો શરૂઆતથી જ તેઓ વીર સાવરકરની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે આ દેશમાં વીર સાવરકર વિશે લોકોને ઓછી માહિતી છે.
એક પ્રકાશિત પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધતા સંઘના વડાએ જણાવ્યું હતું કે, સાવરકર એ માનવતાને આગળ કરી છે. તેમણે ક્યારેય હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ તફાવત જોયો નથી, પરંતુ ધર્મના આધારે દેશમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયાસ કરનાર શક્તિઓને જવાબ આપવા માટે તેમણે કહ્યું કે હિન્દુત્વ રાષ્ટ્રીયતા છે. આનો અર્થ એ નથી કે તેઑ મુસ્લિમોને અલગ માનતા હતા.
સુરક્ષા નીતિ રાષ્ટ્ર નીતિની પાછળ
ભાગવતે કહ્યું કે ભાગલા પછી પાકિસ્તાન ગયેલા મુસ્લિમોને પણ સન્માન આપવામાં આવતું નથી, પરંતુ ભારતમાં એવું નથી. સાવરકરે કહ્યું હતું કે આપણા દેશમાં બહુમતી અને લઘુમતી વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં. આ સાવરકરની વિચારસરણી હતી.
કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે સાવરકર કહેતા હતા કે સુરક્ષા નીતિ રાષ્ટ્ર નીતિની પાછળ જ હોવી જોઈએ. હવે 2014 પછી પ્રથમ વખત એવું લાગે છે કે સુરક્ષા નીતિ રાષ્ટ્રીય નીતિને અનુસરી રહી છે. સાવરકર શુદ્ધ વૈજ્ઞાનિક પદ્ધતિના માણસ હતા. ક્યારેય કોઈ પણ નિર્ણય આંખ આડા કાન કરીણે લેતા ન્હોતા.